અભિનેત્રી ભાગ્યશ્રીના પતિને હોસ્પિટલમાં કરવો પડ્યો દાખલ, કોરોના નહીં પણ આ છે કારણ
ફિલ્મ ‘મૈં પ્યાર કિયા’ માં, સલમાન ખાનની હિરોઇન રહી ચૂકેલી ભાગ્યશ્રીનાં પતિ હિમાલય દસાની કોરોના કાળમાં ઘાયલ થયો છે. હિમાલયનાં ખભામાં ઈજાઓ થઈ છે. જેને કારણે કોકિલાબેન ધીરૂભાઈ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. હોસ્પિટલમાં હિમાલય દસાનીની સર્જરી કરવી પડી હતી. ભાગ્યશ્રીએ સોશિયલ મીડિયા પર ડોક્ટર્સ, નર્સિસ, અને હોસ્પિટલના સ્ટાફનો આભાર માનતા પતિનો ફોટો શેર કર્યો હતો.
ભાગ્યશ્રીએ તેનો અને તેના પતિનો ફોટો શેર કર્યો અને લખ્યું, સર્જરી પુરી થઈ ગઈ છે. આ તે સમય નથી જ્યારે તમને કોઈ હોસ્પિટલમાં જવું ગમે છે પરંતુ કમનસીબે અકસ્માતને કારણે અમારે આવું કરવું પડ્યું. ડોક્ટર દિનશા પારડીવાલાએ શાનદાર કામ કર્યું છે. હું અંબાણી સ્ટાફ, ડોકટરો અને નર્સોનો આભાર માનું છું.
ભાગ્યશ્રીએ વધુમાં લખ્યું છે કે, કોરોના પ્રોટોકોલ સંપૂર્ણ રીતે જાળવવામાં આવ્યો હતો. કોરોના પોઝિટિવ દર્દીઓ અને કર્મચારીઓ બીજા માળે હાજર હતા, તેથી કોઈ સમસ્યા નહોતી. હું દરેકનો આભાર માનું છું. અમે ટૂંક સમયમાં ઘરે પાછા આવીશું. ભાગ્યશ્રીની આ પોસ્ટ પર, પુત્ર અભિમન્યુએ લખ્યું – જલ્દી ઘરે આવો.
ભાગ્યશ્રીના જણાવ્યા મુજબ, તેમની અને હિમાલયની મુલાકાત પ્રથમ સ્કૂલમાં થઈ હતી. આખા ક્લાસમાં હિમાલય સૌથી શેતાન હતો અને હું તે ક્લાસની મોનિટર હતી. અમે ક્લાસની બહાર અને અંદર ઘણી વાર લડતાં હતાં. જો કે, ત્યાં સુધી અમે ક્યારેય એક બીજાને ડેટ કર્યા ન હતા. સ્કૂલના છેલ્લા દિવસે પણ તેણે મને કશું કહ્યું નહીં.
પછી એક દિવસ હિમાલયએ મને કહ્યું કે તે મારી સાથે વાત કરવા માંગે છે અને તે પછી તે લગભગ એક અઠવાડિયા સુધી મને કહેવાનો પ્રયત્ન કરે છે, પરંતુ દરેક વખતે તે પાછળ જતો હતો.આખરે મે તેને કહ્યુ, તારે જે પણ કહેવું હોય તે કહી દે, હું તને પ્રોમિસ કરુ છુંકે, જવાબ પોઝીટીવ હશે.આ પછી તેણે કહ્યું કે તે મને પસંદ કરે છે.
કેમકે, અમારી ફેમિલી લગ્નની વિરુદ્ધ હતા,અમે મોટું પગલું ભરવાનું નક્કી કર્યું. તે દિવસ અમારા માટે નિર્ણયનો દિવસ હતોકે, જીવનસાથી બનીશું કે નહીં. આ પછી અમે ઘરેથી ભાગ્યા અને એક મંદિરમાં લગ્ન કર્યા. આ લગ્નમાં હિમાલયના માતા-પિતા સિવાય સલમાન ખાન અને સૂરજ બડજાત્યા પણ પહોંચ્યા હતા.
ભાગ્યશ્રીની લગ્ન પછીની પહેલી ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ સુપરહિટ બની હતી. જોકે હવે ભાગ્યશ્રીએ ફિલ્મો કરતા પતિ અને પરિવારને સમય આપવાનું વધુ સારું માન્યું. તેમના લગ્નના થોડા સમય પછી, તેમના પુત્ર અભિમન્યુનો જન્મ થયો. ભાગ્યશ્રીના જણાવ્યા મુજબ, મને મૂવીઝ છોડવાનું કોઈ દુખ નથી, પરંતુ તે વાતની ખુશી છે કે હું મારા પતિ અને પરિવાર સાથે છું.
‘મૈને પ્યાર કિયા’ પછી તેણે થોડી વધુ ફિલ્મો કરી પણ તે સફળતા તેને ફરીથી મળી નથી. ભાગ્યશ્રી સતત ફ્લોપ થયા પછી પોતાની પર્સનલ લાઇફમાં વ્યસ્ત બની ગઈ. જણાવી દઈએ કે ભાગ્યશ્રીને બે સંતાનો છે, પુત્ર અભિમન્યુ અને પુત્રી અવંતિકા.
ભાગ્યશ્રીએ એક ઇન્ટરવ્યુમાં તેના બાળકો અને તેના કામ વિશે જણાવ્યુ હતું. તેણે જણાવ્યું હતું કે, તે પતિની સાથે મળીને મીડિયા કંપની સૃષ્ટિ એન્ટરટેઇનમેન્ટ ચલાવે છે. તેમની પુત્રી અવંતિકા લંડનથી બિઝનેસમાં સ્નાતક થઈ છે અને પુત્ર અભિમન્યુએ બોલિવૂડમાં ‘મર્દ કો દર્દ નહીં હો હૈ’ ફિલ્મથી પ્રવેશ કર્યો છે.