ટીવીના લોકપ્રિય કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ઐય્યરના પાત્રથી જાણીતા થયેલા તનુજ મહાશબ્દે હજી સુધી લગ્ન કર્યા નથી. તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન તનુજે તેના લગ્ન વિશે વાત કરી હતી. તનુજ કહે છે કે તે આવતા વર્ષે લગ્ન કરી શકે છે. આ દરમિયાન તનુજે શોમાં બબીતા જીનું પાત્ર ભજવતાં મુનમુન દત્તા સાથેની તેની બોન્ડિંગ વિશે પણ જણાવ્યું હતું.
ખાનગી મીડિયા સાથે વાત કરતાં તનુજે કહ્યું કે, જો બધું બરાબર ચાલશે તો આવતા વર્ષે હું લગ્ન કરીશ. મુનમુન સાથેના તેના બોન્ડિંગ પર તેણે કહ્યુ, અમે બંને સારા મિત્રો છીએ. ચાહકોને મારી અને મુનમૂનની જોડી ખૂબ પસંદ છે. પરંતુ શૂટિંગ પૂરું થયા પછી હું મારા રસ્તે અને તેણી તેના રસ્તે જાય છે.
ખાનગી મીડિયા સાથે વાત કરતાં તનુજે કહ્યું કે, જો બધું બરાબર ચાલશે તો આવતા વર્ષે હું લગ્ન કરીશ. મુનમુન સાથેના તેના બોન્ડિંગ પર તેણે કહ્યુ, અમે બંને સારા મિત્રો છીએ. ચાહકોને મારી અને મુનમૂનની જોડી ખૂબ પસંદ છે. પરંતુ શૂટિંગ પૂરું થયા પછી હું મારા રસ્તે અને તેણી તેના રસ્તે જાય છે.
જણાવી દઈએ કે દિશા વાકાણીએ તારક મહેતાની ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલની પત્નીની ભૂમિકા ભજવી હતી. તે લગભગ ત્રણ વર્ષથી આ શોમાં હાજર નથી. દિશાએ પ્રસૂતિની રજા લીધી હતી અને ત્યારબાદ તે શોમાં પાછી ફરી નથી. જોકે, આ શોમાંથી તેના નીકળ્યાને લઇને વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે. એવી પણ ચર્ચા છે કે તે ટૂંક સમયમાં શોમાં પરત ફરશે.
તાજેતરમાં, તારક મહેતાના ઉલ્ટા ચશ્માની આખી ટીમ ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર શોમાં પહોંચી હતી. હરીફ રુતુજા જુન્નારકર દયા બેનની ભૂમિકામાં નૃત્ય કરી હતી. શોના નિર્માતાને રુતુજાનો લૂક એટલો ગમ્યો કે તે કહે છે કે તમે અમારા શોમાં દયા ભાભી (રુતુજા)ને આપી દો.