મુંબઈઃ કોરોનાને કારણે સામાન્ય માણસની જેમ જ બોલિવૂડ સ્ટાર્સ પણ પોતાના ઘરમાં જ રહેતા હતા. જોકે, હવે ધીમે ધીમે સેલેબ્સે શૂટિંગ શરૂ કર્યું છે અને વેકેશન પર પણ જવા લાગ્યા છે. બચ્ચન પરિવારની વહુ એટલે કે ઐશ્વર્યા રાય અંદાજે 10 મહિના બાદ ઘરેથી નીકળી હતી. જોકે, ઐશ્વર્યાને કોરોના થયો ત્યારે તે ચારથી પાંચ દિવસ હોસ્પિટલમાં એડમિટ હતી. આ સિવાય ઐશ્વર્યા માર્ચ મહિનાથી લઈ ડિસેમ્બર, 2020 સુધી એકવાર પણ ઘરની બહાર જોવા મળી નથી.
ઐશ્વર્યા પતિ અભિષેક તથા દીકરી આરાધ્યા સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ ત્રણેય જણા હૈદરાબાદ ગયા હતા. ઐશ્વર્યા અહીંયા મણીરત્નમની ફિલ્મ ‘પોન્નીયેનસેલવન’ના શૂટિંગ માટે ગઈ છે. શૂટિંગ છ જાન્યુઆરીથી શરૂ થશે. શૂટિંગ પહેલાં ઐશ્વર્યાએ કોવિડ 19નો ટેસ્ટ કરાવ્યો હતો અને તે નેગેટિવ આવ્યો હતો.
એરપોર્ટ પર ભીડ હોવાને કારણે અભિષેકે એક સેકન્ડ માટે પણ દીકરી આરાધ્યાનો હાથ છોડ્યો નહોતો. એક હાથ અભિષેકે તો ઐશ્વર્યાએ દીકરીનો બીજો હાથ પકડીને રાખ્યો હતો.
અભિષેક મિલિટ્રી પ્રિન્ટવાળા જેકેટમાં જોવા મળ્યો હતો. તેણે માસ્ક તથા ગોગલ પહેર્યા હતા. આરાધ્યાએ પિંક આઉટફિટ પહેર્યાં હતાં અને તેણે કપડાંની સાથે મેચ થાય તેવો જ માસ્ક પહેર્યો હતો.
અભિ-આરાધ્યા આગળ ચાલતા હતા અને ઐશ્વર્યા પાછળ ચાલતી હતી. ઐશ્વર્યા બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી. તેણે બ્લેક રંગનો જ માસ્ક પહેર્યો હતો.