Only Gujarat

Bollywood

કેન્સરની સારવારની અધવચ્ચે સંજુબાબા પત્ની સાથે ગયા દુબઈ, આવું છે કારણ

મુંબઈઃ સંજય દત્તની હાલ લંગ્સ કેન્સરની સારવાર ચાલી રહી છે. કેટલાક દિવસો પહેલા જ તેને આ બીમારીની ખબર પડી હતી. હાલમાં જ તેણે પહેલી કીમોથેરપી કરાવી હતી. હાલમાં સંજય દત્ત પત્ની માન્યતા દત્તની સાથે ચાર્ટર્ડ ફ્લાઈટથી પોતાના બાળકો શહરાન અને ઈકરાને મળવા દુબઈ ગયો હતો. સંજય દત્ત છેલ્લાં સાતથી આઠ મહિના બાળકોથી દૂર હતો અને તે સંતાનોને મળવા માટે બેતાબ હતો. માન્યતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફેમિલી ફોટો શેર કરી હતી. સામે આવેલા ફોટોમાં સંજય ખૂબ જ કમજોર લાગી રહ્યો છે.

માન્યતાએ જે ફોટો શેર કર્યો છે, તેમાં સંજયના ગાલ બેસી ગયા છે અને ચહેરાની રંગત ગાયબ છે. તે બીમારીના કારણે બેહદ કમજોર થઈ ગયો છે. જો કે, ફોટોમાં તે હસીને પોતાનું દુઃખ છુપાવવાનો પ્રયાસ કરે છે. માન્યતાએ ફોટો શેર કરીને લખ્યું હતું, ‘આજે હું ભગવાનનો આભાર માનવા માગું છું, જેણે મને આટલો સારો પરિવાર આપ્યો. મને કોઈ ફરિયાદ નથી, કોઈ જ રિક્વેસ્ટ નથી, બસ સાથે રહીએ, હંમેશા માટે…આમીન.’

સંજય ભલે લંગ્સ કેન્સર સામે લડી રહ્યા હોય પરંતુ તેણે આ બીમારીને પોતાના કામની આડે નથી આવવા દીધી. તે ઈલાજની સાથે સાથે પોતાની નવી ફિલ્મ ‘શમશેરા’નું શૂટિંગ પણ કરે છે. પ્રથમ તબક્કાની ટ્રીટમેન્ટ પૂર્ણ થયા બાદ બીજા તબક્કાની સારવાર જલ્દી જ શરૂ થવાની છે. તે દુબઈ 10 દિવસ રોકાશે અને પછી પરત ફરશે. ત્યારબાદ સંજય દત્ત કીમોથેરપીનો બીજો રાઉન્ડ લેશે.

રિપોર્ટ દરમિયાન લીલાવતી હૉસ્પિટલના ડૉક્ટર્સે તેના ફેફસાંમાંથી દોઢ લીટર ફ્લૂઈડ કાઢ્યું હતું. અહેવાલોનું માનીએ તો ફેફસાંમાં ફ્લૂઈડ જમા થઈ રહ્યું છે. સંજયના આ મુશ્કેલ સમયમાં પત્ની માન્યતા દત્ત મજબૂતીથી તેની સાથે ઉભી છે. માન્યતા હંમેશાં તેનો ઉત્સાહ વધારે છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના પતિની હેલ્થ અપડેટ આપતી રહે છે.

ઉલ્લેખનીય છે કે ગયા મહિને પહેલા શ્વાસ લેવામાં તકલીફ પડતા સંજય લીલાવતી હૉસ્પિટલમાં દાખલ થયો હતો. બાદમાં રિપોર્ટ દરમિયાન ખબર પડી કે તેને ફેફસાંનું કેન્સર છે. ત્યારથી સંજય ઈલાજ માટે નિયમિત રીતે હૉસ્પિટલ જાય છે.

નોંધનીય છે કે સંજય દત્તની આગામી ફિલ્મોમાં ‘શમશેરા’, ‘કેજીએફ ચેપ્ટર 2’, ‘પૃથ્વીરાજ’, ‘ભુજઃ ધ પ્રાઈડ ઑફ ઈન્ડિયા ‘અને ‘ટોરબાઝ’ સામેલ છે, જેમાંથી કેટલીક ફિલ્મો પુરી થઈ ચુકી છે, જ્યારે કેટલાકનું કામ થોડું બાકી છે.

You cannot copy content of this page