નાગપુર, મહારાષ્ટ્રઃ કોઈ અધિકારીની ટ્રાન્સફર સમયે લોકો ભાવુક થાય, રડે કે ફૂલોની વર્ષા કરે એવી ઘટના ભાગ્યે જ જોવા મળતી હોય છે. નાગપુર મ્યુનિ.ના કમિશ્નર તુકારામ મુંઢેની મુંબઈમાં ટ્રાન્સફર કરવામાં આવી. તેમને MJP (મહારાષ્ટ્ર જીવન પ્રાધિકરણ)માં સિચન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
મુંઢે કોરોના સંક્રમણમાંથી બહાર નીકળ્યા છે. તેથી તેઓ ઘણા સમયથી લોકોને મળી શક્યા નહોતા. હવે ટ્રાન્સફરના સમાચાર જાણી હજારો લોકો તેમને મળવા પહોંચી ગયા. લોકો તેમના કામથી ઘણા ખુશ હતા. લોકો તેમના કામથી કેટલા ખુશ હતા તે તો લોકોની આંખમાં આવેલા અશ્રુઓથી જ અંદાજો લગાવી શકાય છે.
લોકોએ કરી ટ્રાન્સફર અટકાવવાની ડિમાન્ડ
આ દરમિયાન ભીડ દ્વારા સરકારને વિનંતી કરવામાં આવી કે મુંઢેની ટ્રાન્સફરને અટકાવી દેવામાં આવે, અમુક લોકોએ સરકાર વિરુદ્ધ નારેબાજી પણ કરી. જોકે તેમને સમજાવવામાં આવ્યા કે તેમની ટ્રાન્સફર સરકારી પ્રક્રિયાના ભાગરુપે જ કરવામાં આવી છે.
ટ્રાન્સફર તો થતી જ રહે છે. મુંઢે નાગપુર સ્માર્ટ સિટી પ્રોજેક્ટની જવાબદારી સંભાળી રહ્યાં હતા. આ દરમિયાન તેમની પર કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ આરોપ પણ લગાવ્યો હતો. જેના કારણે આ ટ્રાન્સફરને રાજકરણથી પ્રેરિત માનવામાં આવી રહી હતી.
ટ્રાન્સફર તો થતી જ રહે છે. મુંઢે નાગપુર સ્માર્ટ સિટી પ્રોજેક્ટની જવાબદારી સંભાળી રહ્યાં હતા. આ દરમિયાન તેમની પર કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ આરોપ પણ લગાવ્યો હતો. જેના કારણે આ ટ્રાન્સફરને રાજકરણથી પ્રેરિત માનવામાં આવી રહી હતી.
આ દરમિયાન તેમની પર કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ આરોપ પણ લગાવ્યો હતો. જેના કારણે આ ટ્રાન્સફરને રાજકરણથી પ્રેરિત માનવામાં આવી રહી હતી.