21 જૂને સૂર્યગ્રહણ થશે. જ્યોતિષાચાર્યના જણાવ્યા મુજબ, ‘આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ છે. આ સમયે ગ્રહ અને નક્ષત્રમાં એવો ખાસ સંયોગ બની રહ્યો છે, જે છેલ્લાં 500 વર્ષમાં નથી બન્યો. આ એક ખગોળીય ઘટના છે, જેમાં સૂર્ય કર્ક રેખાની ઉપર આવશે. આ દિવસ વર્ષનો સૌથી મોટો દિવસ હશે. આ સદીનું બીજુ એવું સૂર્યગ્રહણ છે, જે 21 જૂને થઈ રહ્યું છે. આ પહેલાં વર્ષ 2001માં 21 જૂને સૂર્યગ્રહણ થયું હતું.
જ્યોતિષાચાર્યના જણાવ્યા મુજબ, સૂર્યગ્રહણનું સૂતક એક દિવસ પહેલાં લાગશે. સૂર્યગ્રહણ સ્પર્શથી 12 કલાક પહેલાં એટલે કે 10.24 મિનિટે સૂતક લાગશે. આ દરમિયાન મંદિરો બંધ રહેશે. કોઈ શુભ કાર્ય નહીં થઈ શકે. સૂર્યગ્રહણ પર કંકણાકૃત ચંદ્રમણિ આકાર બનશે. સૂર્યગ્રહણની અનેક રાશિ પર અસર થશે. આ સૂર્યગ્રહણ માહમારીના વિનાશ માટે શુભકારી સાબિત થઈ શકે છે.
કાળગ્રહણનો સમય આ રહેશે
- સૂતક કાળઃ શનિવાર રાતે 10.24 મિનિટે શરૂ થશે
- સૂર્યગ્રહણ કાળઃ રવિવાર સવારે 10.24 વાગ્યે પ્રારંભ થશે
- સૂર્યગ્રહણ મોક્ષ કાળઃ બપોરે 1.48 વાગ્યે થશે
- કુલ ગ્રણહ કાળનો સમયઃ 3 કલાક 25 મિનિટ 17 સેકન્ડ
ગ્રહણમાં આ કરવું
સૂતક કાળ દરમિયાન પૂજા-પાઠ અને યાત્રા ના કરવી. પાન તોડવાં, લાકડા કાપવા, કપડા સિવવા અને જમવું પણ સૂતક કાળમાં ઉચિત મનાતું નથી. ગ્રહણ કાળ પહેલાં સ્નાન કરી પોતાના ઇષ્ચદેવના મંત્રનો જાપ કરવો. ગ્રહણના મધ્ય પુનઃ સ્નાન કરી મંત્ર જાપ હવન અને દાન કરવું. ગર્ભવતી મહિલાઓએ ધારદાર અને ચાકૂથી ફળ, શાકભાજી કાપવા નહીં. ગ્રહણ પૂરું થયા પછી સ્ના કરવું અને સ્નાન કર્યા પછી જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરવું.
સૂર્યગ્રહણની રાશિઓ પર થશે આ અસર
- મેષઃ સૂર્યગ્રહણથી લાભપ્રદ રહેશે.
- વૃષભઃ સૂર્યગ્રહણ અત્યનંત કષ્ટકારી રહેશે.
- મિથુનઃ સૂર્યગ્રહણથી શરીરને કષ્ટ થશે.
- કર્કઃ સૂર્યગ્રહણથી ધન અને મની હાનિ થશે.
- સિંહઃ સૂર્યગ્રહણથી શુભ ફળની પ્રાપ્તિ થશે.
- કન્યાઃ સૂર્યગ્રહણમાં સ્વાસ્થ્યનું ધ્યાન જરૂર રાખવું.
- તુલાઃ સૂર્યગ્રહણમાં સંતાનના સ્વાસ્થ્યની ચિંતા રહેશે.
- વૃશ્વિકઃ સૂર્યગ્રહણમાં મૃત્યુ તુલ્ય કષ્ટ થઈ શકે છે.
- ધનઃ સૂર્યગ્રહણથી પત્નિ કષ્ટ સંભવ થઈ શકે છે.
- મકરઃ સૂર્યગ્રહણથી સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
- કુંભઃ સૂર્યગ્રહણથી માન, સન્માનમાં કમી થઈ શકે છે.
- મીનઃ સૂર્યગ્રહણથી સુખ સમૃદ્ધિ વધશે.