રાજધાની દિલ્હીમાં એક મહિલાએ પોતાના પ્રેમી સાથે મળી પોતાનાથી અડધી ઉંમરના પતિની હત્યા કરી. એટલું જ નહીં પોલીસને ગુમરાહ કરવા માટે પતિ દ્વારા આત્મહત્યા કરી હોવાની ખોટી કહાની પણ સંભળાવી. પરંતુ પોલીસને તેની કહાનીમાં જરાય વિશ્વાસ આવ્યો નહીં અને કડકાઇથી કરવામાં આવેલી પુછપરછમાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો.
પોલીસનું કહેવું છે કે મહિલા અને તેના પતિમાં 20 વર્ષનું અંતર હતું અને તેઓને કોઇ સંતાન ન હતું. મહિલાની ઉંમર 30 વર્ષ છે અને તે પોતાના લગ્નથી નાખુશ હતી. આ વાતને લઇને તેણીએ પોતાના પ્રેમી વીરુ વર્મા અને કરણની સાથે મળી પોતાના પતિને મારવાની યોજના બનાવી.
મહિલા પોતાના પ્રેમી વીરુ સાથે લગ્ન કરવા માગતી હતી જ્યારે કરણ બુધ વિહાર વિસ્તારમાં મહિલા અને તેના પતિ સાથે તેના ઘરમાં જ રહેતો હતો. પોલીસે જણાવ્યું કે મહિલાનો પતિ માયાપુરી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કામ કરતો હતો. પતિને ઉંઘની ગોળી ખવડાવી બાદમાં મહિલાએ કથિત રીતે કરણની મદદથી પોતાના પતિનું ગળુ દબાવી હત્યા કરી દીધી.
બાદમાં મહિલા પોતાના મૃત પતિને હોસ્પિટલ લઇ ગઇ અને ડોક્ટરોને જણાવ્યું કે તેણે આત્મહત્યા કરી લીધી છે. જો કે તેના પર શંકા હોવાને કારણે ડોક્ટરોએ પોલીસને આ વાતની જાણ કરી દીધી. ઘટનાસ્થળે પહોંચી પોલીસ ત્રણેય શંકમંદોની વારાફરથી પુછપરછ કરી.
એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે મહિલાના ઘરે પહોંચ્યા બાદ પોલીસને આત્મહત્યા કરી અને ઇશારો કરનારા કોઇ પૂરાવા મળ્યા નહીં. બાદમાં પુછપરછમાં કરણ અને મહિલાના નિવેદન અલગ-અલગ હતા.
તપાસમાં જાણવા મળ્યું કે મહિલા વીરુ વર્મા સાથે લગ્ન કરવા માગતી હતી અને પોતાના પતિની સંપત્તિ હડપ કરવા માગતી હતી આથી તેણીએ આ ઘટનાને અંજામ આપ્યો.