USમાં ડુંગળી ખાવાથી સેંકડો લોકો થયા બિમાર, તાત્કાલિક હોસ્પિટલમાં કરવા પડ્યાં દાખલ
અમેરિકાના કેટલાક રાજ્યોમાં ઓછામાં ઓછા 400 લોકો પોઈઝનીંગનો શિકાર થયા છે. ત્યારે કેનેડામાં કંઈક આવો જ કેસ સામે આવ્યો છે. એક રિપોર્ટ પ્રમાણે અંદાજે 60 લોકો હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. એવું સમજવામાં આવી રહ્યું છે કે એક કંપની તરફથી સપ્લાય કરવામાં આવેલી ડુંગળી ખાવાથી આ લોકો બિમાર પડ્યાં છે.
રિપોર્ટ પ્રમાણે અમેરિકાના 31 રાજ્યોના લોકો સાલમોનીલા પોઈઝનિંગનો શિકાર થયા છે. તેમાંથી કેટલાક થોમસન ઈન્ટરનેશનલ નામની કંપનીની ડુંગળી સપ્લાયને જવાહબદાર ઠેરવે છે. સંબંધિત કંપનીઓએ કહ્યું છે કે, તપાસમાં ખુલ્યું કે ડુંગળીના કારણે આ લોકો સંક્રમિત થયા છે. પરંતુ કંપની તમામ પ્રકારની ડુંગળી દુકાનોમાંથી પરત મંગાવી રહી છે.
સાલમોનીલા સંક્રમણનો શિકાર થનારા લોકોને સામાન્ય રીતે ડાયરીયા, ફીવર, પેટમાં દુઃખાવો જેવી તકલીફો હતી. સંક્રમિત થયાના 6 કલાક બાદથી લઈને 6 દિવસ સુધી આ લક્ષણો સામે આવી શકે છે. સામાન્ય રીતે લોકો 4થી 7 દિવસ સુધી બિમાર રહે છે. 5 વર્ષથી ઓછી ઉંમરના લોકો અને 65 વર્ષથી વધારે ઉંમરના લોકોની તુલનાત્મક રીતે બિમાર પડે છે.
કેટલાક કિસ્સામાં સાલમોનીલા સંક્રમણ અંત બાદ શરીરના અન્ય ભાગોમાં ફેલાઈ શકે છે. જેના કારણે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થવાની જરૂરત પડે છે.
અમેરિકામાં આ વખતે સાલમોનીલા બેક્ટીરીયાથી સંક્રમિત થવાના શરૂઆતી કેસમાં 19 જુનથી 11 જુલાઈ વચ્ચે આવ્યાં હતાં. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનું કહેવું છે કે, એસન્જીથી સમગ્ર મામલે તપાસ કરવાની કોશિશ કરી રહી છે કે શું ડુંગળી સિવાય અન્ય કોઈ પ્રોડક્ટથી પણ સંક્રમણ ફેલાયું છે કે કેમ ?