નોકર માલિકની ભત્રીજા વહુને લઈ ભાગી ગયો પણ પાછો આવ્યો ત્યારે કલ્પના પણ કરી નહોતી એવી બની ઘટના
ફિરોઝાબાદઃ એક નોકરને માલિકના ભત્રીજાની પત્ની સાથે પ્રેમ થયો તો તેની સાથે ભાગી ગયો. જ્યારે તે પરત આવ્યો તો યોજના બદ્ધ રીતે તેની હત્યા કરી લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર મૃતદેહ ફેંકી દેવામાં આવ્યો. આ અંગે ફિરોઝાબાદ પોલીસે ખુલાસો કર્યો છે.
ફિરોઝાબાદ જીલ્લાના નસીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 9 જૂનના એક યુવકનો મૃતદેહ જવાહર બ્રિજ નીચે મળી આવ્યો હતો. 12 જુલાઈએ તેની ઓળખ બંટી કઠેરિયા તરીકે કરવામાં આવી હતી. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી ત્યારે તેની પાછળ ચોંકાવનારી કહાણી સામે આવી હતી. મૃતક બંટી કઠેરિયા નાની વયથી જ મૈનપુરીના ગામ ચંદ્રપુરમાં સર્વેશના ઘરે નોકરી કરતો હતો. બંટી અને સર્વેશના ભત્રીજા સંદીપની પત્ની રિંકી વચ્ચે ધીમે-ધીમે નિકટતા વધી અને તેમના આડાસંબંધોનો પ્રારંભ થયો.
એક દિવસ બંટી સંદીપની પત્ની રિન્કીને ભગાવી કાનપુર લઈ ગયો. આ વાતની જાણકારી થઈ સંદીપને થઈ તો તેણે પોતાના સાથીઓ સાથે મળી બંટીની હત્યાની યોજના બનાવી. તેણે પોતાના સાળા પ્રદીપ, પિતરાઈ ભાઈઓની મદદથી બંટીની હત્યા કરી અને મૃતદેહને એક્સપ્રેવ-વે પર ફેંકી દીધો હતો. જોકે પોલીસે ઘણી મહેનત બાદ આ કેસ ઉકેલી લીધો.
ફિરોઝાબાદના એસએસપી સચિન્દ્ર પટેલે જણાવ્યું કે, બંટીની હત્યાના આરોપમાં મુખ્ય આરોપી સંદીપઅને તેના સાળા પ્રદીપની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત હત્યામાં સાથ આપનારા જે આરોપીઓ હાલ ફરાર છે અને તેમની પણ ટૂંક સમયમાં ધરપકડ કરી લેવામાં આવશે.