હરિયાણાના પલવલમાં એક પરિણતી મહિલાની ગોળી મારીને હત્યા થઈ હતી. ગોળી મારવાનો આરોપ તેના પતિ, સસરા અને સાસુ પર લગાવવામાં આવ્યો છે. લગ્નને હજુ એક મહિનો પણ પૂરો થયો નથી. પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, સસરા પરિણીત મહિલા પર ગંદી નજર રાખતાં હતાં અને તેની સાથે અશ્લીલ હરકત કરતા હતાં. પરિણીત મહિલાના વિરોધ પર સાસરીવાળાઓએ તેની હત્યા કરી દીધી હતી. પોલીસે હત્યાની ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
આ ઘટના પલવલ-અલીગઢ રોડ પર આવેલા કિઠવાલી કોલોનીની છે. આરોપ છે કે, છોડછાડના વિરોધ કરવા પર સસરાએ વહુની હોળી મારીને હત્યા કરી દીધી હતી. આ દરમિયાન મહિલાના પતિને હાથમાં ગોળી વાગી હતી. તેની ખાનગી હોસ્પિટલ સારવાર ચાલી રહી છે.
ચાંદહટ પોલીસ સ્ટેશને મૃતકના પિતાની ફરિયાદ પર પતિ, સસરા અને સાસુની વિરુદ્ધ હત્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના ગામ ચોકડાના રહેવાસી ડુંગર સિંહે પોલીસને કરેલી ફરિયાદમાં કહ્યું હતું કે, લગભગ એક મહિના પહેલા સાત ફેબ્રુઆરીએ પોતાની 19 વર્ષિય પુત્રી રજનીના લગ્ન મથુરા જિલ્લાના ગ્રીટિંગ નૌહવાની સાથે કરવામાં આવી હતી. ગ્રીટિંગ હાલ પોતાના પરિવાર સાથે અલીગઢ રોડ પર આવેલા કિઠવાડી કોલોનીમા રહે છે. લગ્ન બાદ રજનીના સસરા મોહન સિંહ તેની પર ગંદી નજર રાખતા હતાં. વારંવાર રજનીને પગ દબાવવાનું બહાને અશ્લીલ હરકત કરતાં હતાં.
આ સાથે તેમણે જણાવ્યું હતું કે, રજનીએ આ હરકતને લઈને પોતાના પતિ અને સાસુને કહ્યું હતું. તેમણે પણ તેનો સાથ આપ્યો નહીં અને તેને ચૂપ રહેવા માટે કહ્યું હતું. રજની વારંવાર પિયરમાં જવા માટે કહેતી હતી પરંતુ તેને પિયરમાં પણ જવા દીધી નહી. 4 માર્ચે રજનીના પતિ, સાસુ અને સસરાએ તેની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. જ્યારે તે પલવલ પહોંચ્યા તો તેમને રજનીનો મૃતદેહ જિલ્લાના નાગરિક હોસ્પિટલમાં મળ્યો હતો.
પોલીસે જણાવ્યું કે, પરિવારજનોની ફરિયાદ પર નવ પરિણીત મહિલાના પતિ, સાસુ અને સસરાએ હત્યાની ફરિદાય દાખલ કરાવી છે. મહિલાના પતિની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે જ્યાં પોલીસ કર્મીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે. જલ્દી આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.