Only Gujarat

National TOP STORIES

કરમની કઠણાઈ તો જુઓ, આ શ્રમિકોને ના મળ્યું વતન, લાશોના ટૂકડાં પેકેટમાં સીવીને મોકલાયા

ઓરંગાબાદ રેલ્વે દુર્ઘટનામાં માર્યા ગયેલા 9 મજૂરના મૃતદેહોના પેકેટો રવિવારે તેમના ગામ અંતોલી પહોંચ્યા હતા. પરિસ્થિતિ એવી હતી કે જોવાવાળાનાં હ્રદય કાંપી ઉઠ્યા હતા, દરેકની આંખોમાંથી આંસુ આવી રહ્યા હતા. આ પેકેટોમાં લાશનાં નાના નાના ટુકડાઓ ભરાયા હતા, જેને એક સાથે સીવીને ભર્યા હતા. દરેક પેકેટ પર તેમનું નામ લખેલું હતું, કોઈએ પણ આ પેકેટ ખોલવાની અને જોવાની હિંમત કરી ન હતી. તમામને ગામની બહાર એકસાથે દફનાવવામાં આવ્યા હતા.

હકીકતમાં, શુક્રવારે ઓરંગાબાદમાં રેલ દુર્ઘટના એટલી ભયંકર હતી કે મજુરોનાં મૃતદેહના ટુકડા થઈ ગયા હતા, હકીકત એ હતી કે પોલીસે આ ટુકડાઓને સમેટવા પડ્યા હતા. ત્યારે મૃતકોના સબંધીઓએ તેઓની અંતિમ વિધિ તેમના ગામમાં કરવા માગતા હોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ જ્યારે આ સ્થિતિમાં તેમના મૃતદેહ ઘરે પહોંચ્યા ત્યારે પરિવારના સભ્યો તેમને જોવાની હિંમત પણ કરી શક્યા ન હતા.

અંતોલી ગામના તમામ પરિવારના લોકો પરંપરા મુજબ અંતિમ સંસ્કાર કરવા માંગતા હતા, પરંતુ લાશ આવી ત્યાં સુધીમાં સાંજ પડતાં તે થઈ શક્યું ન હતું, તેથી ગામની બહાર જેસીબી મશીનથી 9 ખાડા ખોદવામાં આવ્યા હતા અને લાશને દફનાવી દીધી હતી.

મજૂરોની લાશોને ઓરંગાબાદથી જબલપુર તેમના સંબંધીઓની ઇચ્છા મુજબ વિશેષ ટ્રેન દ્વારા લાવવામાં આવી હતી. આ પછી, તેમના ગૃહ જિલ્લાઓ શાહદોલ અને ઉમરિયામાં એમ્બ્યુલન્સ દ્વારા લાવવામાં આવી હતી. તેમના પ્રિયજનોના વિકૃત મૃતદેહોને જોઇને પરિવાર દુખી થઈ ગયા હતા. ઘરની મહિલાઓને સંભાળવી મુશ્કેલ થઈ ગઈ હતી.

પરિવારનાં લોકો છેલ્લીવાર પોતાના પરિજનોનાં ચહેરા જોવા માંગતા હતા. પરંતુ લાશોની હાલત એટલી ખરાબ હતીકે તેઓ જોઈ શક્યા ન હતા. ઘણા પરિવારનાં સભ્યો તો દૂરથી જ લાશોને જોઈને બેભાન થઈ ગયા હતા.

ફોટામાં તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છોકે, દુર્ઘટના બાદ કેવી રીતે પોલીસ અને સ્થાનિક લોકો લાશોનાં ટુકડા સમેટી રહ્યા છે.

જે રોટલીની શોધમાં પોતાના ઘરથી દૂર રહીને કમાવા માટે ગયા હતા. આખરમાં તે જ રોટલી લાશોની સાથે રેલવેનાં પાટા પર વિખરાયેલી પડી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page