Only Gujarat

Bollywood

‘રામાયણ’ બનાવનાર રામાનંદ સાગર એક સમયે વેચતા સાબુ, આ રીતે કર્યો હતો સંઘર્ષ

મુંબઇઃજાણીતી સીરિયલ ‘રામાયણ’ને 33 વર્ષ થઇ ચૂક્યા છે. આ અવસર પર સીરિયલના મુખ્ય પાત્ર રામ,સીતા અને લક્ષ્મણ એટલે કે અરુણ ગોવિલ, દીપિકા ચિખલિયા અને સુનીલ લહરી કપિલ શર્માના શોમાં પહોંચ્યા હતા. આ દરમિયાન સીરિયલના પ્રોડ્યુસર-ડિરેક્ટર રહેલા રામાનંદ સાગરના દીકરા પ્રેમ સાગરે પણ શોમાં ભાગ લીધો હતો. આ દરમિયાન પ્રેમ સાગરે પોતાના પિતા પર લખેલી પુસ્તક અને તેમની સ્ટ્રગલિંગ લાઇફ અંગે માહિતી આપી હતી. શોના કલાકારો કપિલના શોમાં ખૂબ મજાક મસ્તી કરી હતી. આ સાથે જ કલાકારોએ શો સાથે જોડાયેલા કેટલાક કિસ્સાઓ જણાવ્યા હતા. નોંધનીય છે કે 33 વર્ષ અગાઉ રામાયણને જોવા માટે રસ્તાઓ સૂમસામ થઇ જતા હતા. એટલે સુધી કે સીરિયલના પાત્રોમાં જ લોકો ભગવાનની  છબિ જોવા લાગ્યા હતા.

રામાયણમાં કલાકારોને સીન સમજાવતા સ્વર્ગીય રામાનંદ સાગર

શો દરમિયાન પ્રેમ સાગરે પોતાના પિતા રામાનંદ સાગર વિશે જણાવતા કહ્યું કે, આ પુસ્તકનું નામ છે અન એપિક લાઇફ ઓફ રામાનંદ સાગર ફ્રોમ બરસાત ટૂ રામાયણ. 1949માં પાપાજી (રામાનંદ સાગર)ની સૌ પ્રથમ ફિલ્મ બરસાત હતી. એક વ્યક્તિએ પટ્ટાવાળી નોકરી કરી, રસ્તા પર સાબુ વેચ્યા, જર્નાલિસ્ટ બની અને મુનીમનું પણ કામ કર્યું. વિચારો કે એક વ્યક્તિ એક દિવસ રામાયણ પણ બનાવી શકે છે.

કપિલે જણાવ્યું કે શોમાં રામાનંદ સાગરના પૌત્ર અને પ્રેમ સાગરના  દીકરા શિવ સાગર પણ હાજર છે જેમણે પોતાના દાદાના જીવન અને કામ પર લખેલી પુસ્તક માટે રિસર્ચ કર્યું છે. શિવ સાગરે કહ્યુ કે, આ પુસ્તકને લખવામાં ત્રણ વર્ષનો સમય લાગ્યો. મેં આ પુસ્તક માટે રિસર્ચ કર્યું અને પપ્પાએ તેને લખી છે.

શિવ સાગરે કહ્યુ કે, આ પુસ્તકમાં અમે દાદાજી સાથે જોડાયેલા અનેક જૂના ફોટો અને ડોક્યુમેન્ટ્સ અંગે બતાવ્યું છે. આ પુસ્તકમાં ટ્રેનના થર્ડ ક્લાસના એ પાસની ફોટો પણ છે જેમાં તે મુંબઇમાં દેવાનંદ સાથે શેર કરતા હતા. તે સિવાય પુસ્તરમાં  તેમની સાથે જોડાયેલા કેટલાક કિસ્સાઓ વર્ણવ્યા છે.

નોંધનીય છે કે દૂરદર્શન પર રામાયણનું પ્રસારણ 25 જાન્યુઆરી 1987માં શરૂ થયું હતું અને અંતિમ એપિસોડ 31 જૂલાઇ 1988ના પ્રસારિત થયો હતો. તાજેતરમાં જ તેના પ્રસારણને 33 વર્ષ પુરા થયા છે.

રામાનંદ સાગરે પોતાના કરિયરની શરૂઆત 1932માં ક્લેપર બોય તરીકે કરીહતી. તે સમયે તેનુ કામ સીન શર થાય તે અગાઉ તાળી પાડવાનું હતું. ભાગલા બાદ રામાનંદ સાગર મુંબઇ આવી ગયા. અહી તેમણે પૃથ્વીરાજ કપૂરના પૃથ્વી થિયેટરમાં આસિસ્ટન્ટ સ્ટેજ મેનેજર તરીકે કામ કર્યું.

બાદમાં રામાનંદ સાગરે રાજ કપૂરની ફિલ્મ બરસાતની વાર્તા અને સ્ક્રીનપ્લે લખ્યો. બાદમાં તેણે પોતાની ટીવી પ્રોડક્શન કંપની ખોલી. સાગર ફિલ્મ પ્રાઇવેટ લિમિટેડ હેઠળ તેમણે અનેક હિટ ફિલ્મો અને સીરિયલ બનાવી હતી.

80ના દાયકામાં ટીવીની દુનિયા ઝડપથી ફેલાઇ રહી હતી. તે સમયે દૂરદર્શન જ મનોરંજનું સાધન હતું.  ત્યારે રામાનંદ સાગર સમજી ગયા કે આવનારા સમયમાં ટીવીનો દબદબો વધશે અને તેમણે વિક્રમ બેતાળ અને રામાયણ જેવી સીરિયલનું નિર્માણ કર્યું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page