Only Gujarat

Bollywood FEATURED

દરરોજ 10 કલાક શૂટિંગ કરી રહ્યાં છે ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના જેઠાલાલ

મુંબઈઃ ફેમસ ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’હવે ગણતરીના દિવસોમાં નવા એપિસોડ સાથે ટીવી પર શરૂ થઈ શકશે. મુંબઈમાં ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ મોટાભાગના ટીવી શૉ, ફિલ્મ અને વેબ સિરીઝનું શૂટિંગ કરવામાં આવ્યું છે. એવામાં‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’નું પણ ગવર્મેન્ટની ગાઇડલાઈન મુજબ શૂટિંગ ફરી શરૂ કરવામાં આવ્યું છે. રિપોર્ટ મુજબ, જુલાઈ મહિનાના બીજા અઠવાડિયામાં અનલૉક – 2માં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’નું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે. એવામાં દિલીપ જોષી એટલે કે, જેઠાલાલે કોરોના મહામારી દરમિયાન શૂટિંગ દરમિયાનનો તેમનો અનુભવ શેર કર્યો હતો.

દિલીપ જોષીએ કહ્યું કે, ‘મનમાં હંમેશા ડર રહે છે, શૂટિંગ દરમિયાન હું, હંમેશા માસ્ક અને મોજાં પહેરેલા લોકો સાથે ઘેરાયેલો રહું છું. સેટ પર માહોલ બદલાઈ ગયો છે અને દિવસના અંતમાં માનસિક રીતે અનુભવ ખૂબ જ થકાવનારો હોય છે. પણ, છતાં કામ પર પાછું આવવું સારી વાત છે.’

દિલીપ જોષી એટલે કે, જેઠાલાલ અત્યારે દરરોજ દસ કલાક શૂટિંગ કરી રહ્યા છે કેમ કે, એપિસોડની બેન્ક બને અને પછી બીજીવાર ટેલિકાસ્ટ કરવામાં કોઈ પ્રોબ્લેમ ન આવે.

દિલીપ જોષીએ સેટ પર સુરક્ષા અંગે કહ્યું કે, ‘શૉના પ્રોડ્યુસર અસીત મોદીએ નક્કી કર્યું છે કે, સેટ પર તમામ પ્રકારની સાવધાની રાખવામાં આવશે. અસીત મોદીએ સેટ પર સેનેટાઇઝેશન ટનલ, સેટ પર તાપમાન અને ઑક્સિજન લેવલ ચેક કરવા માટે ડૉક્ટરની વ્યવસ્થા કરી છે.

આ સાથે જ જ્વેલરી અને અન્ય ઉપકરણોને સેનેટાઇઝ કરવા માટે યૂવી રે મશીન પણ સેટ પર રાખવામાં આવી છે. હવે અમે કોરોનાના ડર સાથે જીવવાનું શીખી ગયા છીએ કેમ કે, વાઇરસ એટલો જલદી જવાનો નથી.’

દિલીપ જોષીએ વધુમાં કહ્યું કે, ‘વાયરસને નથી ખબર કે, અમે લોકોને હસાવવાનું કામ કરીએ છીએ. જો આટલી સાવધાની પછી પણ, અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ થઈ શકે છે તો તે કોઈપણને થઈ શકે છે. એક્ટર્સ સૌથી ખાસ રીતે રિસ્ક પર છે કેમ કે, કેમેરા સામે માસ્ક પહેરી શકતાં નથી પણ, ભગવાન પર વિશ્વાસ રાખી કામ પર જઈ શકાય છે.’

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page