મુંબઈઃ સુશાંત સિંહ રાજપુત અને એક્ટ્રસ અંકિતા લોખંડે એક સમયે ટીવી ઇન્ડસ્ટ્રીની ફેમસ જોડી હતી પણ બંનેના પ્રેમને કોઈની નજર લાગી અને બંનેનું બ્રેકઅપ થઈ ગયું. સુશાંતની આત્મહત્યા પછી તેમની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે પણ આઘાતમાં છે. સુશાંત સિંહ રાજપુતના નિધનને એક મહિનો પૂરો થતાં અંકિતા લોખંડેએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી હતી.
સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યા પછી અંકિતા લોખંડેએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પણ પોસ્ટ કરી નહોતી પણ સુશાંતના નિધનના એક મહિના પછી અંકિતાએ સુશાંતના નામનો એક દીવો પ્રગટાવ્યો હતો. આ ફોટોમાં અંકિતા લોખંડેના ઘરની ઝલક જોવા મળે છે.
અંકિતાની આ પોસ્ટને અત્યાર સુધી એક લાખથી વધુ લોકોએ લાઇક કરી છે. ફેન્સ કોમેન્ટ કરી તેમને મજબૂત રહેવાની સલાહ આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે, ‘સુશાંત વિશે સાંભળી ખૂબ જ ખોટું લાગ્યું. તમે તમારું ઘ્યાન રાખો અમે બધા તમારી સાથે છીએ.’
સુશાંત સિંહ રાજપુત અને અંકિતા લોખંડેએ ટીવી સિરિયલ ‘પવિત્ર રિશ્તા’માં સાથે કામ કર્યું હતું. બંને લાંબા સમય સુધી રિલેશનમાં પણ રહ્યા હતાં. તે સમયે ચર્ચા થતી હતી કે, અંકિતા અને સુશાંત જલદી જ લગ્ન કરવાના હતાં પણ, પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું.
સુશાંત સિંહ રાજપુતના નિધન મામલે હવે CBI તપાસની માગ ઉગ્ર થઈ રહી છે. જોકે, પોલીસે તેમના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને વિસેરા રિપોર્ટમાં કંઈ પણ શંકાજનક મળ્યું નથી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ગળેફાંસો ખાવાને લીધે શ્વાસ લેવામાં તકલીફ થતાં સુશાંતનું મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપુતે 14 જૂને તેમના બાંદ્રા સ્થિત ઘરમાં આત્મહત્યા કરી હતી.