ઉત્તરપ્રદેશના અલીગઢમાં ઘરેલું વિવાદમાં એક શખ્સે પત્નીની હત્યા કર્યા બાદ પોતાની જાતને પણ ગોળી મારી લીધી. આ બધુ જોઇ નાના ભાઇએ પણ ગોળી મારી આપઘાત કરી લીધો. ઉલ્લેખનીય છે કે ઘટના પહેલા પતિ ફેસબૂક લાઇવ કર્યું હતું. જેમાં તેણે કહ્યું હતું કે તે પરિવારજનોથી પરેશાન છે. તે આપઘાત કરવા જઇ રહ્યો છે. પરંતુ તેના નાના ભાઇએ આપઘાત કેમ કર્યો તે હાલ તપાસનો વિષય છે. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે યુવકે અંદાજે દોઢ વર્ષ પહેલા લવ મેરેજ કર્યા હતા.
બન્ના દેવી થાના ક્ષેત્રના બરૌલા નિવાસી બાબુલાલ વર્માના ત્રણ પુત્ર છે. તેમનો મોટો પુત્ર પરિવારની સાથે અલગ રહે છે. જ્યારે બે પુત્રો શૈલેન્દ્ર અને વિશાલ માતા-પિતાની સાથે રહેતા હતા. શૈલેન્દ્રએ બીફાર્મા કરી રાખ્યું હતું. તે પોતાનું મેડકલ સ્ટોર ચલાવી રહ્યો હતો.
શૈલેન્દ્રએ પડોસમાં રહેતી પિંકી વર્મા સાથે અંદાજે દોઢ વર્ષ પહેલા પરિવારની વિરુદ્ધ જઈને લવ મેરેજ કર્યા હતા. ઘરમાં અવાર નવાર આ વાતને લઇને વિવાદ થતો હતો. રાતે શૈલેન્દ્રનો તેની માતા સાથે કોઇ વાત પર ઝઘડો થઇ ગયો હતો. પરંતુ લોકોએ સમજાવ્યા બાદ મામલો શાંત થઇ ગયો.
શૈલેન્દ્રે ફેસબૂક પર એક વીડિયો સંદેશ અપલોડ કર્યો. જેમાં તેણે કહ્યું કે ‘‘હું સુસાઇડ કરવા જઇ રહ્યો છું. મારા મનથી આવું કરી રહ્યો છું. કારણ કે ઘરવાળાથી પરેશાન થઇ ગયો છું. હવે હું જીવી નહીં શકું. મારી પાસે કોઇ જવાબ નથી’’ આટલું કહ્યા બાદ શૈલેન્દ્રએ પોતાની પત્ની પિંકીને ગોળી મારી દીધી.
પિંકીને ગોળી માર્યા બાદ શૈલેન્દ્રએ પોતાને પણ ગોળી મારી દીધી. ત્યારબાદ આઘાતમાં નાના ભાઇ વિશાલે પણ ગોળી મારી લીધી. ઘટના પર જ શૈલેન્દ્ર અને વિશાલનું મૃત્યુ થઇ ગયું જ્યારે પિંકીનું હોસ્પિટલ જતી વખતે મૃત્યુ થઇ ગયું. પોલીસે ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દીધા છે. પોલીસ આ બાબતે બધા એંગલથી તપાસ કરી રહી છે.
એસપી ક્રાઇમ ડોક્ટર અરવિંદે કહ્યું કે પહેલા પતિએ પત્નીને ગોળી મારી હત્યા કરી દીધી. ત્યારબાદ તેણે પણ આપઘાત કરી લીધો. તો નાના ભાઇ છત પર ગયો અને તેણે પણ ગોળી મારી લીધી. આ આપઘાતનો મામલો લાગી રહ્યો છે. હાલ તમામ તથ્યોને સંકલિત કરી પોલીસ તપાસ કરી રહી છે.