Only Gujarat

Gujarat

32 વર્ષીય વિધવા ક્વોરન્ટીન થઈ, ભુવાએ પોત પ્રકાશ્યું અને હવસની ભૂખ મિટાવી

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના એક ગામમાં ભુવાએ વિધવા પર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચારનાર ભૂવાને સંખેડા પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. મહિલા કોરોનાની બીજી લહેરમાં પતિના અવસાન બાદ 32 વર્ષીય તેની બે બાળકીઓ અને સાસુ સાથે રહેતી હતી. ગામમાં આવેલા મંદિરમાં નિયમીત જતી હોવાથી ભુવા સાથે ઘર જેવો સંબંધ બંધાયો હતો. ભુવાએ વિધવાને કહેલું કે, ‘તારો પતિ મારા શરીરમાં આવે છે, આપણે ફૂલહાર કરવા પડશે’ કહી ભુવાએ વિધવા મહિલા સાથે દુષ્કર્મ આચર્યું દુષ્કર્મ આચર્યુ હતું.

કોરોનામાં મહિલાએ પતિ ગૂમાવ્યો
સંખેડા તાલુકાના એક ગામમાં રહેતો જીતેન્દ્ર ઉર્ફે લાલાભાઇ પોતાની ભુવાજી તરીકે ઓળખ આપતો, જેથી લોકો તેનામાં વિશ્વાસ રાખતા અને ગામના મંદિરે દર્શનાર્થે જતા લોકો તેના સંપર્કમાં આવતા હતા. એજ રીતે રેખા(નામ બદલેલુ છે) પણ તેના પતિ સાથે મંદિરને જતી હોવાથી તેના સંપર્કમાં આવી હતી. જોકે, ગત વર્ષે રેખાના પતિ કોરોના સંક્રમિત થતા તેમનું મોત નિપજ્યું હતુ અને 32 વર્ષીય રેખા વિધવા બની ગઇ હતી.

મહિલા ભુવાના ઘરે રહેવા ગઈ હતી
રેખાના બે બાળકીઓ હોવાથી તે ગામમાં જ તેની સાસુ રહેતી હતી. આ દરમિયાન ઉત્તરાયણના તહેવાર સમયે રેખા કોરોના સંક્રમિત થઇ હતી. જેથી પાખંડી ભુવાએ “ઘરમાં અન્ય લોકોને કોરોનાનો ચેપ ન લાગે તે માટે તુ મારા ઘરે ઉપરના માળે રૂમ છે ત્યાં ક્વોરન્ટીન થઇ જા કહ્યું હતુ.” ભુવા સાથે ઘર જેવા સંબંધ હોવાથી રેખા તેમના ઘરે ક્વોરન્ટીન થઇ હતી.

ધમકી આપી દુષ્કર્મ આચર્યું
ક્વોરન્ટીન થયાના બીજા જ દિવસે ભુવાજી રેખાના રૂમમાં આવી પહોંચ્યો અને તેની સાથે બળજબરી દુષ્કર્મ આચર્યું હતુ. આ ઘટના બાદ ભુવાજીએ ધમકી આપી કે, “જો તું કોઇને કહીંશ તો તને જાનથી મારી નાખીશ અને એમ પણ કહ્યું કે, તારો પતિ મારા શરીરમાં આવે છે, એટલે હવે આપડે ફુલહાર કરવો પડશે, અને જો તું એવુ નહીં કરે તો તારા ઘરમાંથી કોઇ સભ્યનું મોત થશે અને 28 જાન્યુઆરીના રોજ હું મરી જઇશ”.

પિતાએ વિરોધ કર્યો હતો
ભુવાની તમામ વાતો પર વિશ્વાસ કરી પીડિતાએ તેની સાથે ફુલહાર કર્યાં હતા. આ વાતની જાણ પીડિતાના પિતાને થતાં તેઓ તાત્કાલિક ગામમાં આવી પહોંચ્યાં હતા.પીડિતાના પિતાએ ભુવાએ કરેલી હરકત ખોટી હોવાનુ જણવી છતાં તે માન્યો નહીં અને તેની પત્નીએ કહ્યું કે, અમે બંને બે બહેનોની જેમ સાથે રહીશું. આ સાંભળી પીડિતાના પિતાની આંખો ચાર થઇ અને તેમણે પોતાની દીકરીની ઇચ્છા પૂછી હતી. જેથી પીડિતાએ પિતા સાથે રહેવાની સંમતી દર્શાવી હતી.

ભુવા સામે ગુનો નોધાયો
પીડિતા ભુવાની ચુંગલમાંથી બહાર તો નીકળી ગઇ પરંતુ, તેની સાથે બનેલી ઘટનાઓ તેને ભુલવા નહોતી દેતી, જેથી તે આઘાતમાં સરી ગઇ હતી અને પિતાના ઘરે જતા સમયે તેને સાસરીમાંથી દવાની બોટલ પોતાની સાથે લઇ લીધી હતી અને જીવનનો અંત લાવવા તેને દવા ગટગટાવી લેતા તબીયત લથડી પડી હતી. જેથી તેણીને તાત્કાલિક શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણીએ પોતાની સાથે બનેલી સમગ્ર બાબત પોલીસને જણાવતા જીતેન્દ્ર ઉર્ફે લાલાભાઇ (ભુવા) સામે પોલીસે બળાત્કારનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

You cannot copy content of this page