રિયા ચક્રવર્તીએ પોતાના ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે સુશાંત સિંહ રાજપૂત પર મીટુ મૂવમેન્ટ દરમિયાન આરોપ મૂકાયો હતો. આ કારણે તે ખૂબ પરેશાન હતો. ફિલ્મ દિલ બેચરામાં તેની સહ-કલાકાર સંજના સંઘીના નામને લઈને આ આક્ષેપો કરવામાં આવ્યા છે. આ આરોપો પર સંજનાએ લગભગ દોઢ મહિના પછી સ્પષ્ટતા કરી હતી. આ સિવાય રિયાએ સુશાંતની એક્સ મેનેજર રોહિણી ઐયરની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
રિયા ચક્રવર્તીએ એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, રોહિણી અય્યરે મારી મુલાકાત સુશાંત સાથે કરાવી હતી, પરંતુ જ્યારે અમે બંને સંબંધમાં આવ્યા ત્યારે તે આ વાતથી ખુશી નહોતી. તે સુશાંતને અજી મેસેજીસ ટેક્સ્ટ કરતી હતી. રિયાએ કહ્યું કે સંજના સંઘી અને રોહિણી ઐયરના કારણે સુશાંત ખૂબ પરેશાન હતો.
રોહિણી ઐયર કોણ છે
રોહિણી ઐયર થોડા સમય માટે સુશાંત સિંહ રાજપૂતની મેનેજર હતી. તે સુશાંતની પીઆર પણ સંભાળતી હતી. બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી. રોહિણીએ એક ફિલ્મ જર્નાલિસ્ટ તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી રેઇનડ્રોપ મીડિયા કંપનીની સ્થાપના કરી હતી. બોલીવુડમાં રોહિણી ઐયર એક મોટું નામ છે. તે ઘણા મોટા કલાકારોની મિત્ર છે.
સંજના સંઘી કોણ છે
સંજના સંઘીએ કારકિર્દીની શરૂઆત બાળ કલાકાર તરીકે ફિલ્મ રોકસ્ટારથી કરી હતી. તે પછી તે ફુકરે રિટર્ન્સ અને હિન્દી મીડિયમ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. તે દિલ બેચરામાં સુશાંતની ઓપોઝિટ મુખ્ય ભૂમિકામાં હતી. સંજના ઘણા કમર્શિયલમાં પણ કામ કરી ચૂકી છે.
રિયા ચક્રવર્તીએ તેના ઇન્ટરવ્યુમાં સંજના સંઘી અને રોહિણી ઐયર પર મોટા આક્ષેપો કર્યા છે. મુંબઈ પોલીસે સુશાંત કેસમાં આ બંનેની પૂછપરછ કરી છે. આ અગાઉ સુશાંતના બીજા મિત્રએ સંજના પર આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે સંજનાએ મીટુના આરોપો અંગે લાંબા સમય બાદ મૌન તોડ્યું હતું અને તેના કારણે સુશાંતને ઘણું સહન કરવું પડ્યું હતું.
સુશાંત સિંહ રાજપુત નિધન પછી ગુરુવારે રિયા ચક્રવર્તીએ એક ઇન્ટરવ્યૂમાં ઘણાં ખુલાસા કર્યાં હતાં. રિયાએ સુશાંત કેસ સાથે જોડાયેલી ઘણી એવી જાણકારી આપી હતી જેને જાણી લોકો હેરાન પણ થયાં અને ઘણાં પ્રકારના સવાલ પણ ઉઠ્યાં.