એવું કહેવામાં આવે છે કે,પ્રેમમાં દરેક વસ્તુ ન્યાયિક છે. અયોધ્યાથી આવો જ એક કિસ્સો બહાર આવ્યો છે જ્યાં બે યુવતીઓએ લગ્ન કરી લીધા છે. કાનપુરમાં રહેતી એક યુવતી અયોધ્યાના સાહબગંજ વિસ્તારમાં તેની માસીનાં ઘરે આવતી હતી. આ સમય દરમિયાન તે સાહબગંજમાં રહેતી અન્ય એક યુવતી સાથે પ્રેમમાં પડી ગઈ હતી.
બે વર્ષ સુધી ચાલેલા આ પ્રેમ વિશે લોકોને ત્યારે ખબર પડી જ્યારે બંનેએ લગ્ન કરી લીધા હતા. આ બંનેએ શુક્રવારે અયોધ્યા કોતવાલી સિટીમાં પોલીસને જણાવ્યું હતું કે તે બંને પુખ્ત છે, તેમણે 26 ઓગસ્ટે કાનપુરના તપસ્વી મંદિરમાં લગ્ન કર્યા હતા અને હવે તે પતિ-પત્ની છે.
જ્યારે બંને અયોધ્યાના કોતવાલી સિટી પહોંચ્યા ત્યારે એકે વરરાજાનો તો બીજીએ દુલ્હનની જેમ શણગાર કર્યો હતો. પગની આંગળીઓમાં લગ્નની વેઢો હતી, તો માથા પર સિંદૂર અને હાથમાં મહેંદી હતી.
પોલીસે જણાવ્યું હતું કે આ બંને મહિલાઓના પરિવારનાં લોકો પણ આ લગ્નની વિરુદ્ધ નથી, તેથી યુવતીઓ પુખ્ત હોવાથી અને પરિવારના સભ્યો સંમત થયા પછી બંને સાથે રહેવા માટે સ્વતંત્ર છે.
અયોધ્યા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અમર સિંહ કહે છે કે કાનપુરની એક યુવતી અહીં તેની માસીનાં ઘરે સાહેબગંજ વિસ્તારમાં આવતી હતી, જેના કારણે તે બંનેના પ્રેમમાં પડી ગઈ હતી. બંને પુખ્ત વયના છે અને પરિવારની સંમતિના આધારે તેમના લગ્ન થયા હતા.