Only Gujarat

Bollywood

એક સમયે એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતાં અને સેલેબ્સ અને અચાનક જ તોડી નાખ્યા સંબંધો

મુંબઈઃ ટીવી પર એવી ઘણી જોડીઓ છે, જે રિયલ લાઈફમાં રિલેશનશિપને કારણે ઘણી ચર્ચામાં રહી. ફેન્સ પણ આ સેલિબ્રિટ કપલ્સને પસંદ કરતા હતા. જોકે જ્યારે તેમના બ્રેકઅપના અહેવાલ સામે આવ્યા ત્યારે તમામ લોકો ચોંક્યા હતા. આજે અમે તમને ટીવીના એવા સ્ટાર્સ વિશે જણાવી રહ્યાં છીએ, જે લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યાં બાદ અલગ થયા હતા.

રિત્વિક ધનજાની- આશા નેગીઃ ‘નચ બલિયે-6’ની ચેમ્પિયન જોડી રિત્વિક ધનજાની અને આશા નેગીની જોડીને લોકો ઘણી પસંદ કરતા હતા. બંને ટીવીની ફેવરિટ જોડીઓમાંથી એક છે. જોકે 6 વર્ષના રિલેશનશિપ બાદ આ જોડી અલગ થઈ હતી. આશા નેગીએ પોતે જ બ્રેકઅપની વાત જાહેર કરી હતી.

અરહાન ખાન અને રશ્મિ દેસાઈઃ રશ્મિ દેસાઈ ‘બિગ બોસ’માં અરહાન ખાન સાથેના સંબંધોના કારણે ચર્ચામાં રહી. રશ્મિ અને અરહાન ઘણા સમય સુધી રિલેશનશિપમાં રહ્યાં. શોમાં અરહાને રશ્મિને પ્રપોઝ પણ કર્યું હતું. ‘બિગ બોસ’ના ઘરમાં સલમાને ખુલાસો કર્યો હતો કે, અરહાન અગાઉથી પરિણીત છે અને તે એક બાળકનો પિતા પણ છે. સલમાનના આ ખુલાસા બાદ રશ્મિએ અરહાનથી અલગ થવાનો નિર્ણય લીધો.

શ્વેતા તિવારી અને અભિનવ કોહલીઃ શ્વેતા તિવારી અને અભિનવ કોહલીના સંબંધ હાલ ઘણા ચર્ચામાં છે. શ્વેતા અને તેની દીકરી પલક તિવારીએ અભિનવ પર ઘરેલું હિંસાનો આક્ષેપ લગાવ્યો હતો. જે પછી અભિનવ કોહલીએ સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ લખી પોતાની વાત રજૂ કરી હતી.

સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડેઃ ‘પવિત્ર રિશ્તા’ ફેમ કપલ સ્વ. સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે 6 વર્ષથી એક સાથે હતા. સુશાંત અને અંકિતા ઘણીવાર પાર્ટી તથા ઈવેન્ટમાં સાથે જોવા મળતા હતા. તેમના બ્રેકઅપથી ઘણા લોકો ચોંક્યા હતા. જોકે બંને શા માટે અલગ થયા તે અંગે સુશાંત કે અંકિતા બંનેમાંથી કોઈએ ખુલાસો કર્યો નહોતો.

કરિશ્મા તન્ના અને ઉપેન પટેલઃ કરિશ્મા તન્ના અને ઉપેન પટેલ ‘બિગ બોસ-8’માં મળ્યા હતા. બંનેએ ‘નચ બલિયે-7’ના સેટ પર સગાઈ પણ કરી હતી. વર્ષ 2016માં કરિશ્મા અને ઉપેન અલગ થયા હતા. જોકે તેમણે અલગ થવા પાછળનું કારણ જણાવ્યું નહોતું.

You cannot copy content of this page