શિલ્પા શેટ્ટીનું આ કારણે અનેકવાર થયું હતું મિસ કેરેજ, હાલમાં જ કર્યો આ વાતનો ખુલાસો
તાજેતરમાં શિલ્પા શેટ્ટી ફરીવાર મા બની છે. સરોગસીથી જન્મેલી દીકરીનું નામ સમિષા પાડવામાં આવ્યું છે. દીકરીના આગમાન બાદ આખો પરિવાર ખૂબજ ખુશ છે. ઉલ્લેખનિય છે કે, દીકરા વિયાનના જન્મ બાદ ઘણીવાર શિલ્પા માં બનતાં-બનતાં રહી ગઈ. દર વખતે કોઇને કોઇ કારણોસર મિસકેરેજ થઈ જતું હતું. શિલ્પાએ તાજેતરમાં જ એક ઈન્ટર્વ્યૂમાં જણાવ્યું કે, તેને પહેલાંથી જ બે બાળકોની ઇચ્છા હતી. શિલ્પાએ કહ્યું કે, તે હંમેશાંથી બે બાળકો ઇચ્છતી હતી, કારણકે તેને ખબર હતી કે, ભાઇ-બહેન હોવાં કેટલાં જરૂરી છે.
તો તે નહોંતી ઇચ્છતી કે વિયાન એકલો ભણે અને મોટો થાય. શરીરમાં બનતા ઓટો ઈમ્યૂન કંડીશન (APLA) ના કારણે જ્યારે પણ તે પ્રેગ્નન્ટ થતી, તેનું મિસકેરેજ થઈ જતું હતું.
ત્યારબાદ શિલ્પાએ બીજા બાળક માટે સરોગસીનો વિકલ્પ પસંદ કર્યો. જોકે શિલ્પાએ એમ પણ કહ્યું કે, સરોગસી પહેલાં તેણે બાળકને દત્તક લેવાનું વિચાર્યું હતું અને આ અંગે એક સંસ્થા સાથે વાત પણ કરી હતી.
શિલ્પાએ કહ્યું, તેમણે ચાર વર્ષ સુધી રાહ પણ જોઇ, પરંતુ કોઇને કોઇ સમસ્યાને કારણે વાત ટળતી રહી અને ધીરજ ખૂટવા લાગી.
ત્યારબાદ રાજ કુંદ્રા અને શિલ્પાએ નિર્ણય લીધો કે, બીજા બાળક માટે સરોગસીનો વિકલ્પ પસંદ કરશે.
દીકરી સાથેની તસવીરો શિલ્પા ઘણીવાર ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે, જેને જોતાં એ સ્પષ્ટ દેખાય છે કે, બાળકીના આગમનથી તે કેટલી ખુશ છે.