ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં પોલસે સોમવાર 31 ઓગસ્ટે રાતે શહેરના એક મોહલ્લામાં મકાનમાંથી દેહવ્યાપારના આરોપમાં બે પુરુષ તથા ચાર મહિલાઓને પકડ્યા હતા. મંગળવાર 1 સપ્ટેમ્બરે તમામને જેલ મોકલી દેવામાં આવ્યા. પોલીસે ધરપકડની કાર્યવાહી બાદ મકાનમાં સઘન ચેકિંગ કર્યું હતું જે દરમિયાન અનેક ચોંકાવનારી હકિકત સામે આવી હતી. મકાનના એક રૂમમાં મોટી સંખ્યામાં શક્તિવર્ધક દવાઓ અને અન્ય કેટલીક પ્રતિબંધિત સામાન મળી આવ્યો. એટલું જ નહીં રૂમમાં અનેક વિદ્યાર્થિનીઓની તસવીરો પણ મળી છે. જેમાંથી કેટલીક સ્કૂલ યુનિફોર્મમાં પણ છે. પકડાયેલા શખ્સો પાસેથી મળેલી ડાયરીમાં આ યુવતીઓના ફોન નંબર પણ મળ્યા છે. હવે પોલીસ એ વાતની શોધખોળ કરી રહી છે કે સગીરવયની યુવતીઓને આ દલદલમાં લાવવાનું કામ કોણ કરતું હતું.
પોલીસના દરોડામાં પકડાયેલા બે પુરુષ બિહારના નિવાસી છે. તેઓ નગરમાં ફેરીનું કામ કરતા હતા. અહીં તેઓ રાતે આ ધંધાને ચલાવતી મહિલાઓ સાથે જ રહેતા હતા. ધરપકડ કરાયેલી મહિલાઓમાંથી એક મહિલા યુવતીઓની વ્યવસ્થા કરતી હતી.
પહેલા વિદ્યાર્થિનીઓની તસવીરો વોટ્સએપ પર પસંદ કરવા માટે મોકલવામાં આવતી હતી ત્યારબાદ રૂમમાં રાત વીતાવવા માટે ગ્રાહકોની સાથે મોકલી દેવામાં આવતી હતી. આ માટે રીતસરનું વોટ્સએપ અને ફોન પર પહેલા જ રેટ નક્કી કરવામાં આવતા હતા.
આ રેકેટને ચલાતી મહિલાને ત્યાં આવતા જતા લોકો પર નજર રાખવા માટે મોહલ્લાના જ એક વ્યક્તીએ પોતાના ઘરની બહાર સીસીટીવી કેમેરા લગાવી દીધા. ત્યારબાદ પાડોસના ઘરમાં તમામ આવતા જતા લોકોની તસવીરો કેમેરામાં કેદ થઇ જતી હતી. આ ફૂટેજને જોયા બાદ જાણવા મળ્યું કે 32 મિનિટમાં 14 યુવતીઓ આવતી જતી દેખાઇ હતી. મોહલ્લામાં બાઇક સડકના કિનારે ઉભી રહેતી હતી. જો કોઇ વિરોધ કરે તો ધંધો કરનારી મહિલા ઝઘડો કરવા લાગતી હતી. એક વખત એક વ્યક્તીની કારનો કાંચ પણ તોડી નાખવામાં આવ્યો હતો.
મહિલાના આ કામથી મોહલ્લાના લોકો પરેશાન થઇ ગયા હતા. ઘણીવાર તો ગ્રાહકો બીજાના ઘરનો દરવાજો ખખડાવવા લાગતા હતા. જેને લઇને મોહલ્લાના સારા લોકો ઘણા જ પરેશાન હતા. પોલીસની આ કાર્યવાહીથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
પોલીસ અધિક્ષક નિવેશ કટિયારે જણાવ્યું કે પકડાયેલા છ આરોપીઓ વિરુદ્ધ દેહવ્યાપાર નિવારણ અધિનિયમ અંતર્ગત કેસ દાખલ કરી જેલ મોકલી દેવામાં આવ્યા છે. તેમની પાસેથી આધારકાર્ડ, વોટરકાર્ડ, દવા, પાસબૂક, ત્રણ બાઇક વગેરે સામાન મળી આવ્યો છે. કોતવાલ સદર એકે સિંહે જણાવ્યું કે ધરપકડ કરાયેલા છ આરોપીઓને જેલ મોકલી દેવામાં આવ્યા છે. પુછપરછમાં તથ્યો સામે આવ્યા છે. તેમના હિસાબથી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ક્ષેત્રમાં આ પ્રકારનો ધંધો કોઇપણ સ્થિતિ ચાલવા દેવામાં આવશે નહીં.