દિવસો સુધી ડોક્ટર્સ કરતાં રહ્યાં સારવાર પણ એમબ્યૂલન્સના ડ્રાઈવરે કહ્યું કંઈક એવું…
રાંચીઃ હાલમાં જ ઝારખંડમાં એક 62 વર્ષીય દર્દીના જીવન અને મૃત્યુ સાથે જોડાયેલ એક ચોંકાવનારી વાત જાણવા મળી હતી, જેને ડોક્ટરો જીવિત જણાવી રહ્યા હતા પણ એબ્યુલન્સના ડ્રાઇવરે અડતાં જ મૃત કહ્યો. સાંભળતાં જ પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ. પરિવારજનોનો આરોપ છે કે, દરદીને જીવિત જણાવી તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો પરંતુ બીજી હોસ્પિટલમાં લઈ જવા એમ્બ્યુલન્સ બોલાવી તો, ડ્રાઇવરે અડતાં જ કહી દીધું કે, દરદીનું તો મૃત્યુ થઈ ચૂક્યું છે. બહુ હોબાળો કર્યા બાદ, હોસ્પિટલ વહુવટી તંત્રે ઇલાજના બહાને લૂંટેલા પૈસા પાછા આપી દીધા. પોલીસની હાજરીમાં જ સમજૂતી કરવામાં આવી.
બિલ વસૂલવા નાટક કરતું રહ્યું હોસ્પિટલનું આખુ તંત્રઃ હરિનારાયણ સિંહ કોલોનીના નિવાસી રવિન્દ્ર પ્રસાદ સિંગને એશિયન જાલાન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. પરિવારજનોનો આરોપ છે કે, બિલ વધારવા માટે હોસ્પિટલ મેનેજમેન્ટે દરદીને વેન્ટિલેટર પર રાખ્યો. તેનો ખુલાસો ત્યારે થયો, જ્યારે દરદીને રેફર કરીને બીજી હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન એમ્બ્યુલન્સનો ડ્રાઇવર જેવો દરદીને અડ્યો કે તરત જ કહી દીધું, દરદીનું તો મૃત્યુ થઈ ગયું છે. બહુ હોબાળો થયો ત્યારે ડોક્ટરોએ પણ સ્વીકાર્યું કે, દરદીનું મૃત્યુ થઈ ગયું છે. ત્યારબાદ દરદીનો ઇલાજ કરી રહેલ ડો. કુણાલ કિશોર ત્યાંથી જતા રહ્યા.
પાછા આપ્યા ઈલાજના બધા જ પૈસાઃ હોસ્પિટલમાં હોબાળો વધતાં સદર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી. સ્ટેશન ઈન્ચાર્જ સંજીવ તિવારી ઘટનાસ્થળે પહોંચ્યા. ત્યારબાદ બંને પક્ષને બેસાડવામાં આવ્યા. હોસ્પિટલ વહિવટી તંત્ર ઈલાજના બધા જ પૈસા પાછા આપવા તૈયાર થઈ ગયું. હોસ્પિટલે 1.20 લાખ રૂપિયાનું બીલ બનાવ્યું હતું. તેમાંથી 75 હજાર તરત જ પાછા આપી દેવામાં આવ્યા અને બાકીના પછીથી આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું.
દરદીના પરિવારજનોના જણાવ્યા અનુસાર, આમાં દવાઓના ખર્ચની ગણતરી કરવામાં નથી આવી. મૃતકના દીકરા રાકેશ કુમારે જણાવ્યું કે, જ્યારે પણ તેના પિતાને બીજી હોસ્પિટલમાં લઈ જવાની વાત કરીએ ત્યારે ડોક્ટર ના પાડી દેતા. રાકેશ કુમાર સિંહે જણાવ્યું કે, છ માર્ચે તેના પિતા પડી ગયા હતા. તેમને બ્રેન હેમરેજ થયું હતું. ત્યારબાદ ઇલાજ માટે તેમને જાલાન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ઇલાજનું નાટક કરી ડોક્ટરો પૈસા પડાવ્યા હતાં.