મુંબઈઃ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે નેપોટિઝ્મનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. અનેક સેલેબ્સ બોલિવૂડમાં ચાલી રહેલાં સગાવાદ વિશે બોલી રહ્યાં છે. એવામાં નેપોટિઝ્મ અને કાસ્ટિંગ કાઉચ જેવી વસ્તુ માત્ર બોલિવૂડ સુધી જ સિમીત નથી, પણ દેશની અન્ય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ જોવા મળે છે. 80 અને 90નાં દશકની ફેમસ એક્ટ્રસ નિશા નૂર પણ કાસ્ટિંગ કાઉચ અને દગાખોરીનો શિકાર થઈ હતી. તે સમયે નિશા એટલી ફેમસ હતી કે રજનીકાંત અને કમલ હસન જેવા મોટા સ્ટાર તેમની સાથે કામ કરવા માગતા હતાં. ઉલ્લેખનીય છે કે, નિશાને દગાખોરીથી પ્રોસ્ટિટ્યૂશનમાં ધકેલી દેવામાં આવી હતી. જ્યારે નિશાનું મોત થયું ત્યારે તે કંકાલ જેવી થઈ ગઈ હતી.
18 સપ્ટેમ્બર, 1962એ તામ્બરમ (ચેન્નઈ)માં જન્મેલી નિશા કૌર 80 અને 90નાં દશકની ફેમસ એક્ટ્રસ હતી. નિશા નૂરે 1980માં ‘મંગલા નાયગી’ ફિલ્મથી કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેમણે એકથી એક હિટ ફિલ્મો આપી હતી.
1981માં આવેલી ફિલ્મ ‘ટિક ટિક ટિક!’ ઉપરાંત ‘કલ્યાણા અગાતિગલ’ (1996) અને 1990માં આવેલી ફિલ્મ ‘અય્યર ધી ગ્રેટ’માં ન માત્ર નિશાએ કામ કરી પ્રસંશા મેળવી પણ થિએટરની ટિકિટની બારીઓ પર પણ લોકો તૂટી પડ્યા હતાં.
થોડાં વર્ષો પછી અચાનક નિશાને કામ મળવાનું બંધ થઈ ગયું અને તેમને આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો. ધીરે-ધીરે નિશાને ફિલ્મોમાં મળવાનું બંધ થઈ ગયું અને તે સિલ્વર સ્ક્રીનની સાથે રિઅલ લાઇફમાં પણ નજર આવતી બંધ થઈ ગઈ.
કહેવામાં આવે છે કે, નિશાને એક પ્રોડ્યુસરે રૂપિયાની લાલચ આપી પ્રોસ્ટિટ્યૂશનમાં ધકેલી દીધી હતી. જ્યારે કોઈ રસ્તો નિશાને દેખાયો નહીં તો તેમને હંમેશા માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી, પણ પછી તેમની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી. ત્યાં સુધી કે તેમને ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ જોવા પણ આવ્યું નહોતું.
ધીરે-ધીરે નિશાની આર્થિક સ્થિતી બગડવા લાગી હતી. કહેવામાં આવે છે કે, છેલ્લાં દિવસોમાં નિશાની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેઓ રોડ પર ખરાબ હાલતમાં મળ્યા હતાં. આ દરમિયાન નિશા તેમની જિંદગીના છેલ્લાં શ્વાસ ગણી રહ્યા હતાં. આસપાસના લોકોએ તેમને હોસ્પિટલમાં દાખલ કરાવી ત્યારે ખબર પડી કે તેમને એડ્સ છે.
2007માં એક એનજીઓ મુસ્લિમ મુનેત્ર કડગમના કેટલાંક લોકોએ નિશાન નૂરને નાગોર પાસે એક દરગાહની બહાર ખૂબ જ ખરાબ હાલતમાં જોઈ હતી. આ દરમિયાન તેઓનું શરીર કંકાલ જેવું થઈ ગયું હતું.
એનજીઓએ નિશાને ત્યાંથી એક હોસ્પિટલમાં દાખલ કરાવી પણ, થોડાં દિવસો પછી નિશા નૂરે દમ તોડી દીધો હતો. ડૉક્ટરોના જણાવ્યા મુજબ, નિશાને એડ્સ થઈ ગયો હતો. 2007માં માત્ર 44 વર્ષની ઉંમરે નિશા નૂરનું મોત થયું હતું. એક રિપોર્ટ મુજબ, જ્યારે નિશા જ્યારે દરગાહ પાસે મળી આવી ત્યારે તેના શરીર પર જંતુઓ જોવા મળ્યા હતાં.
નિશા નૂરે ‘ઈલામઈ કોલમ’, ‘ઈનિમઈ ઈધો ઈધો’, ‘અવલ સુમંગલિથન’, ‘શ્રી રાઘવેન્દ્રર’, ‘ચુવાપ્પૂ નાડા’, ‘મિમિક એક્શન 500’, ‘મિમિક્સ પરેડ અને ઇનક્કાગા કાથિરો’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.