મુંબઈઃ સુશાંત સિંહ રાજપુતના નિધન પછી કરણ જોહર પર નેપોટિઝ્મનો આરોપ અનેક સ્ટાર્સ અને લોકો લગાવી રહ્યાં છે. હાલમાં જ કરણ જોહરના નજીકના મિત્રએ મીડિયાને જણાવ્યું હતું કે, ‘તે ટ્રોલિંગ થવાથી ખરાબ હાતલમાં છે અને એવામાં તે કંઈ બોલી પણ શકતો નથી.’ જોકે, તે જ દિવસે સાંજે જ્યારે કરણ જોહર રણબીર કપૂરની મા નીતૂ કપૂરની બર્થ ડે પાર્ટીમાં જોવા મળ્યો ત્યારે તેમના મિત્રનો દાવો ખોટો સાબિત થયો હતો. આ દરમિયાન કરણ જોહરનો ફોટો સામે આવતાં લોકો તેને સોશિયલ મીડિયામાં ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે.
બુધવાર રાતે નીતૂ કપૂરે તેમની બર્થ ડે પાર્ટીના ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા હતાં. જેમાં કરણ જોહર ઉપરાંત નીતૂ કપૂરનો દીકરો રણબીર કપૂર અને દીકરી રિદ્ધિમા સહિત અન્ય ફેમિલી મેમ્બર્સ પણ જોવા મળ્યા હતાં.
બુધવાર રાતે નીતૂ કપૂરે તેમની બર્થ ડે પાર્ટીના ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા હતાં. જેમાં કરણ જોહર ઉપરાંત નીતૂ કપૂરનો દીકરો રણબીર કપૂર અને દીકરી રિદ્ધિમા સહિત અન્ય ફેમિલી મેમ્બર્સ પણ જોવા મળ્યા હતાં. આ દરમિયાન બીજા એક શખ્સે કોમેન્ટ કરતાં લખ્યું કે, ‘અમે સાંભળ્યું હતું કે, કરણ જોહર બીલાડી-કુતરાં જેવી રીતે રડી રહ્યો છે. આ કરણ જોહરનું દેખાડો અને પાખંડનું અસહનીય સ્તર છે.’
આ પહેલાં એક ઇન્ટર્વ્યૂમાં કરણ જોહરના નજીકના મિત્રોએ દાવો કર્યો હતો કે, ‘સુશાંત સિંહ રાજપુતના મોત પછી કરણ તેમના વિરુદ્ધ વધતી નફરતની આગથી ખરાબ હાલતમાં હતો. તે સતત રડી રહ્યો હતો અને કંઈ પણ બોલવાની સ્થિતીમાં હતો.
કરણના નજીકના મિત્રોએ જણાવ્યું હતું કે, ‘તે અત્યારે કેવી હાલતમાંથી પસાર થઈ રહ્યો છે, તે જણાવી શકતાં નથી. તેમણે કહ્યું કે, સુશાંત સિંહ રાજપુતના નિધન પછી લોકો તેમની પર ગુસ્સો કાઢી રહ્યા છે, તે જોઈ તેઓ ખરાબ હાલતમાં છે. તે ઘણીવાર પૂછે છે કે, તે શું ખરેખર આ બધુ ડિઝર્વ કરે છે.’
કરણ જોહરના મિત્રોએ જણાવ્યું હતું કે, ‘તેમના નજીકના દરેક મિત્રો લોકોના નિશાના પર છે અને તેને લઈ ફિલ્મમેકર ખુદને દોષી સમજી રહ્યા છે.’
કરણ જોહરના મિત્રના જણાવ્યા મુજબ, ‘કરણને તેમના 3 વર્ષના બાળકોને મારવાની ધમકી મળી રહી છે. તે રડતાં-રડતાં એક જ સવાલ કરે છે કે, એવું શું કર્યું છે કે તેમના પર નિશાન સાધવામાં આવી રહ્યું છે.’