મથુરાના ગેસ્ટ હાઉસમાં બુધવારે યુવતીની હત્યાથી લોકો ગભરાઈ ગયા હતા. આરોપી પ્રેમીએ પ્રેમિકાની કનપટ્ટી પર ગોળી મારી હતી. આ કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ પછી આરોપીઓએ પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગોળી વાગી ન હતી. પોલીસના જણાવ્યા અનુસાર યુવક અને યુવતીની વચ્ચે પ્રેમ સંબંધ હતો. યુવતીના બીજા છોકરા સાથે લગ્ન નક્કી કર્યાં હતાં. જાન 10 ડિસેમ્બરે આવવાની હતી. પોલીસે ઘટના સ્થળેથી આરોપીની ધરપકડ કરી તમંચો પણ ઝડપી લીધો હતો.
પોલીસ સ્ટેશન રિફાઇનરીના નગલા પોહપીનો રહેવાસી સુખવીર પુત્ર રોશને તેના પિતરાઈ ભાઈની સાળી નગીના (25) પુત્રી ચંદ્રભાન ખપ્પરપુર સાથે પ્રેમ સંબંધ હતો. બુધવારે સુખવીરે નગીનાને ગોકુલ બેરેજ ખાતેના ગેસ્ટહાઉસમાં બોલાવી હતી. અહીં, રૂમ નંબર-9 ભાડેથી લઈને બંને રોકાયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર પ્રેમીઓ અહીં આપઘાત કરવાના ઇરાદે આવ્યા હતા. તેમના બંને પરિવાર લગ્ન માટે તૈયાર નહોતા. નગીનાના લગ્ન 10 ડિસેમ્બરે થવાના હતા.
સુખવીરે નગીનાની કાનપટ્ટી પર ગોળી ચલાવી હતી. તે પછી તેણે પોતે બે વાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ફાયરિંગ કર્યા બાદ પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસ સ્ટેશન સદરબજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બાથરૂમમાં પડેલી યુવતીની ડેડબોડી મળી હતી. મૃતદેહ પાસે બેઠેલો આરોપી રડી રહ્યો હતો. આરોપી યુવક પાસેથી તમંચો મળી આવ્યો હતો. હત્યાના આરોપીની ધરપકડ કરીને સંપૂર્ણ માહિતી એકત્રીત કર્યા બાદ પરિવારને જાણ કરી હતી.
સીઓ સિટી વરૂણકુમારસિંહે જણાવ્યું હતું કે, મૃતક નગીના આરોપી સુખવીરના પિતરાઈ ભાઈની સાળી છે. બંને વચ્ચે આઠ વર્ષથી પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો. પરિજનો બંનેનાં લગ્ન કરવા તૈયાર નહોતા. યુવતીના લગ્ન તેના પરિવારના સભ્યો દ્વારા નક્કી કરવામાં આવ્યા હતા. જાન 10 ડિસેમ્બરે આવવાની હતી. યુવતી આ લગ્ન માટે તૈયાર નહોતી. પ્રેમીના ફોન પર ગર્લફ્રેન્ડ ગેસ્ટહાઉસ પહોંચી હતી.
નગીના બી.એ. અને સુખવીર બી.એડ પાસ હતો. બંનેનો ઘણાં વર્ષોથી પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો. બુધવારે બપોરે એક વાગ્યે આરોપી સુખવીરે ગોપી કૃષ્ણા ગેસ્ટ હાઉસમાં રૂમ નંબર-9 ભાડે રાખ્યો હતો. ખાસ વાત એ છે કે, ગેસ્ટ હાઉસમાં થયેલી એન્ટ્રીમાં ગર્લફ્રેન્ડનો કોઈ ઉલ્લેખ નહોતો. પોલીસ પણ આની તપાસ કરી રહી છે.