છિંદવાડાઃ મધ્યપ્રદેશના છિંદવાડામાં એક યુવકે તેની પત્ની તથા સાસરિયા પર ખોટો કેસ કરવા અંગેની ફરિયાદ કરીને તેમને કાનૂની નોટિસ મોકલી છે. છિંદાવાડામાં રહેતા શ્રીકાંત પેંગ્વારે 2019માં ખરગોનમાં રહેતી રોશની તામ્રકાર સાથે એરેન્જ મેરેજ કર્યા હતા. રોશનીના આ બીજા લગ્ન હતા. પહેલાં લગ્નથી તેને બે જોડિયા બાળકો હતા અને તેથી જ રોશની બીજા પતિ પાસેથી કોઈ બાળક ઇચ્છતી નહોતી.
શ્રીકાંત પોતાનું એક બાળક ઇચ્છતો હતો અને તેથી જ બંને વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયા હતા. રોશની તથા તેનો પરિવાર બાળક માટે તૈયાર નહોતો. તેઓ શ્રીકાંત પર નસબંધીનું ઓપરેશન કરાવવા માટે દબાણ કરતા હતા. જ્યારે શ્રીકાંત ના માન્યો તો પોલીસ સાથે મળીને તેની વિરુદ્ધ દહેજની કલમ 498 લગાવી દીધી હતી. ત્યારબાદ શ્રીકાંતે સાસરિયા વિરુદ્ધ નોટિસ ફટકારી હતી.
શ્રીકાંતના પણ બીજા લગ્નઃ શ્રીકાંતના પરિવારના મતે, તેના આ બીજા લગ્ન હતા. શ્રીકાંત સાસરે ખરગોનમાં રહીને બિઝનેસ કરતો હતો. જોકે, પત્ની તથા સાસરીયા સાથે નસબંધી અંગે વિવાદ થયો હતો.