કોરના વાયરસને રોકવા મમાટે હાલ સમગ્ર દેશમાં લોકડાઉનનો માહોલ છે ત્યારે દેશમાં ઘણી જગ્યાએ અનોખા લગ્ન જોવા મળી રહ્યાં છે ત્યારે 6 વર્ષ પહેલા સાસુ જે છોકરીને પુત્રવધૂ તરીકે ઘરે લાવ્યા હતા તેમણે જ હવે પુત્રવધૂને પુત્રી તરીકે વિદાય આપી હતી. સાસુએ પોતાની પુત્રીના જેવા જ લગ્ન પુત્રવધૂના કર્યા હતા. આ અનોખા લગ્ન મધ્યપ્રદેશના રતલામમાં થયાં હતા.
સાસુ-સસરાએ તેમની ઢળી રહેલી ઉંમર જોઇને પુત્રવધૂને પુત્રીની જેમ પુનર્લગ્ન કર્યા, સંપૂર્ણ રિવાજ સાથે કરીને પોતાના ઘરેથી વિદાય આપી હતી અને આ ખુશીઓ ભરેલાં લગ્નમાં લોકડાઉન પણ નડ્યુ ન હતુ. સોશિયલ ડિસ્ટન્સ રાખીને, આ લગ્ન ત્રણ પરિવારોના મર્યાદિત સભ્યો વચ્ચે થયાં.
વાસ્તવમાં, કાટજુ નગરમાં રહેતી 65 વર્ષીય સરલા જૈનનો પુત્ર મોહિત જૈને 6 વર્ષ પહેલા આષ્ટાની રહેવાસી સોનમ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ લગ્નના 3 વર્ષ બાદ તેમનો પુત્ર મોહિત કેન્સરનો શિકાર બન્યો હતો. ત્રણ વર્ષ સુધી પુત્રવધૂ સોનમે તેના પતિની સારી સેવા કરી હતી પરંતુ મોહિત જીવનની લડત હારી ગયો હતો. તે પછી પણ સોનમે સાસુ-સસરા સાથે પુત્રીની જેમ રહેવાનું શરૂ કર્યું.
સોનમની સેવા અને તેના જીવનની ખુશીઓની ચિંતા તેના સાસુએ કરી હતી. જ્યારે તેણે તેના ભાઈ લલિત કાંઠેલ અને સોનમના પરિવાર સાથે પુનર્લગ્ન માટે વાત કરી ત્યારે, બધા જ સહમત થયા અને નાગડામાં સૌરભ જૈન સાથેના સંબંધ પાક્કો થઈ ગયો હતો .
સોનમની સેવા અને તેના જીવનની ખુશીઓની ચિંતા તેના સાસુએ કરી હતી. જ્યારે તેણે તેના ભાઈ લલિત કાંઠેલ અને સોનમના પરિવાર સાથે પુનર્લગ્ન માટે વાત કરી ત્યારે, બધા જ સહમત થયા અને નાગડામાં સૌરભ જૈન સાથેના સંબંધ પાક્કો થઈ ગયો હતો .
એક ક્ષણ એવી હતી જ્યારે 6 વર્ષ પહેલા સાસુ-વહુએ પુત્રવધૂ સોનમને ખુશીથી આષ્ટાથી વિદાય કરાવીને લાવ્યા હતા અને 6 વર્ષ પછી એક ક્ષણ,એવી આવી જ્યારે તે જ સાસુએ પુત્રવધૂ સોનમને પુત્રી તરીકે વિદાય આપી હતી, ત્યારે સાસુ-સસરાની આંખોમાંથી આંસુઓ છલકાઈ ગયા હતા.
આ લગ્ન અંગે સાસુ સરલા જૈને કહ્યું હતું કે, હવે અમે પતિ-પત્ની જ રહી ગયા હતા, અમારી ઉંમર પણ થવા લાગી હતી પરંતુ વહુની ઉંમર તો નાની છે. અમારા ગયા પછી જીવન તે એકલી કેવી રીતે પસાર કરતી, એટલાં માટે લગ્ન કરાવ્યા, વહુની જ્યારે વિદાય કરી તો વહુને બધુ એજ આપ્યુ જે દિકરીને આપ્યુ હતુ.