ઉત્તરપ્રદેશના કાનપુરમાં પારિવારિક કલહથી પરેશાન પત્નીએ ફાંસી લગાવી આપઘાત કરી લીધો. મૃતકે આપઘાત પહેલા 16 પાનાનો પતિના નામે સુસાઇડ નોટ લખી છે જેને ફેસબૂક મેસેન્જરથી ભાઇ અને પોતાની બહેનને પણ મોકલ્યો હતો. સુસાઇડ નોટમાં લખ્યું હતું કે પતિનું ઘરે છોડી શકતી ન હતી આથી દુનિયા છોડી રહી છું. ભગવાન મારા બાળકોને સદ્દબુદ્ધિ આપજો અને તેની રક્ષા કરજો. સુસાઇડ નોટમાં મહિલાએ બાળકોની ચિંતા અને પોતાની મજબૂરીની કહાની લખી છે એટલું જ નહીં મૃત્યુ માટે સાસુ અને સસરાને જવાબદાર ગણાવ્યા છે.
ગોવિન્દ નગર થાના વિસ્તારના સી-બ્લોકમાં રહેતા દેવાંશ ગુપ્તા દૂધનો વેપાર કરે છે. દેવાંશના લગ્ન 2012માં દુર્ગેશ યાદવ સાથે થયા હતા. બંનેને દાંપત્ય જીવનમાં ત્રણ બાળકો પણ છે. પરિવારના લોકોના જણાવ્યા પ્રમાણે પતિ-પત્ની વચ્ચે અવાર નવાર કોઇના કોઇ બાબતે વિવાદ થતો હતો.
તો પુત્રવધુનો સાસુ-સસરા સાથે પણ કોઇના કોઇ બાબતે ઝઘડો થતો રહેતો. દરરોજના કંકાસથી કંટાળી દુર્ગેશે ફેસબૂક મેસેન્જર પર સુસાઇડ નોટ મોકલી આત્મહત્યા કરી લીધી.
16 પાનાની સુસાઇડ નોટમાં પુત્રવધુએ પોતાના ત્રણ બાળકોની ચિંતા વ્યક્ત કરી પોતાની મજબૂરી પણ વ્યક્ત કરી. પોલીસે મૃતદેહને કબજામાં લઇ પોસ્ટમોર્ટમ હાઉસ મોકલી તપાસ શરૂ કરી દીધી.
મહિલાના પરિવારજનોનો આરોપ છે કે સાસુ અને પતિ અવાર નવાર દુર્ગેશનું શોષણ કરતાં હતા. દુર્ગેશ અંદાજે એક સપ્તાહથી તણાવમાં હતી. આપઘાત કર્યા પહેલા દુર્ગેશે સુસાઇડ નોટ લખી જેને ફેસબૂક મેસેન્જરના માધ્યમથી પોતાના ભાઇ આશિષને મોકલી. જેની જાણકારી શનિવાર 27 જુને સવારે ભાઇને મોબાઇલ ચેક કર્યા બાદ થઇ.
16 પેજની સુસાઇડ નોટમાં મૃતક દુર્ગેશે પોતાના ત્રણ બાળકોની ચિંતા વ્યક્ત કરી લાચારી વ્યક્ત કરી છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવી ઉડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
થાના પ્રભારી અનુરાગ મિશ્રાએ જણાવ્યું કે સુસાઇડ નોટમાં મહિલાએ પારિવારિક ઝઘડાના કારણે આપઘાત કર્યો હોવાની વાત લખી છે. પિયરપક્ષની ફરિયાદના આધારે કેસ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દુર્ગેશે સુસાઇડ નોટમાં લખ્યું છે કે ઘર છોડી શકતી ન હતી આથી દુનિયા છોડી રહી છું. ભગવાન મારા બાળકોને સદબુદ્ધિ આપજો અને તેની રક્ષા કરજો.
દુર્ગેશે પોતાના મૃત્યુ પાછળ સાસુ અને પતિને જવાબદાર ઠેરવ્યા છે. સુસાઇડ નોટમાં લખ્યું છે કે 2017માં સાસુએ મારી ડોક પર ચાકુ રાખી પતિ સાથે અલગ રહેવા મજબૂર કરી. ત્યારબાદથી પતિ પણ મને નફરત કરવા લાગ્યો.
સતત મારા પર ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે. છેલ્લા પાંચ દિવસથી મેં કંઇ જ ખાધુ નથી. પતિ મારું મોઢું પણ જોવા રાજી ન હતા અને ઘર છોડી જતા રહેવાનું કહેતા હતા. ઘર છોડી શકતી ન હતી આથી દુનિયા છોડી રહી છું.