Only Gujarat

Bollywood

સુશાંત માટે પોતાની કરિયર પણ બરબાદ કરવા તૈયાર હતી ગર્લફ્રેન્ડ અંકિતા

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને બે સપ્તાહનો સમય થઇ ચૂક્યો છે પરંતુ પરિવારજનો અને મિત્રો હજુ પણ આઘાતમાં છે.હજી પણ રડી રડીને બેહાલ થઈ ગઈ છે. કેટલાય દિવસથી સરખી ઉંઘી પણ નથી. સુશાંતના નજીકના મિત્રો અને પ્રોડ્યુસર સંદીપ સિંહે હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન સુશાંત અને તેમની એક્સ ગર્લફ્રેન્ડ રહી ચૂકેલી અંકિતા લોખંડે સાથે જોડાયેલી વાતોનો ખુલાસો કર્યો. સંદીપના જણાવ્યા પ્રમાણે રિલેશનશિપ દરમિયાન અંકિતા સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ હોવાની સાથે સાથે તેમની માતાની પણ જગ્યા લઇ ચૂકી હતી. તે તેની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખતી હતી જે કોઇ નહીં કરી શકતું હતું.

સંદિપે જણાવ્યું કે માત્ર અંકિતા લોખંડે જ તેને બચાવી શકતી હતી. તે ન તો માત્ર તેની પસંદગીનું જમવાનું બનાવતી પરંતુ તેની પસંદગીના પુસ્તકો ઘરમાં લાવતી હતી. સુશાંતની ઇચ્છા પ્રમાણે જ તેણે પોતાના સપના સજાવ્યા હતા.

અંકિતા સુશાંતને ખુશ રાખવા માટે કંઇ પણ કરી શકતી હતી. ત્યાં સુધી કે બ્રેકઅપ બાદ પણ તે દરેક શુક્રવારે તેની ફિલ્મની સફળતા માટે દુઆ કરતી હતી. હું પ્રાર્થના કરું છું કે દરેકને અંકિતા જેવી જ યુવતી મળે.

સંદિપે કહ્યું કે સુશાંતના મૃત્યુના સમાચાર સાંભળ્યા બાદ મને સૌથી વધુ ચિંતા અંકિતાની જ હતી. એ દિવસે તેના ઘરેથી એમ્બ્યુલન્સ અને પછી હોસ્પિટલ પહોંચ્યા સુધી હું દર સમયે અંકિતાને જ ફોન લગાવતો રહ્યો. પરંતુ તેણે મારો ફોન ન ઉઠાવ્યો. તે આ સમયે ઉંડા આઘાતમાંથી પસાર થઇ રહી છે. હાલમાં જ મારી વાત તેની સાથે થઇ અને તે મારો અવાજ સાંભળતા જ જોર જોરથી રડવા લાગી.

અંકિતા ખુબ જ ઇમોશનલ યુવતી છે અને સુશાંત માટે ટોચ પર હોવા છતા તે પોતાનું કરિયરને પણ છોડવા તૈયાર હતી. ટીવી પર તેનું સારુ નામ હતું અને તને ફિલ્મો પણ મળવા લાગી હતી. જે દિવસે સુશાંતે આ આત્મઘાતી પગલું ઉઠાવ્યું એ દિવસે મને સૌથી વધુ ચિંતા અંકિતાની જ થઇ.

મને ખબર હતી કે એ હાલ કેવી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહી છે. પોસ્ટમોર્ટમનું કામ પતાવ્યા બાદ હું સીધો જ તેના ઘરે દોડી ગયો. હું તેને 10 વર્ષથી જાણું છું અને મને નથી લાગતું તે એ દિવસે મને જેવી રીતે ગળે લગાવ્યો એવો ક્યારેય નથી લગાવ્યો. મારાથી જે કંઇ બની શકશે તેના માટે હું કરીશ.

સુશાંત અને રિયાના લગ્ન વિશે સંદિપે કહ્યું કે હું તો એવા લગ્ન માટે ઇન્વાઇટેડ ન હતો આથી મને આ વિશે ખબર નથી. મને તો એટલી ખબર છે કે અંકિતા અને સુશાંત એક સમયે લગ્ન પણ કરવાના હતા. મારા માટે અંકિતા જ તેની છેલ્લી રિલેશનશિપ હતી.

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે 14 જુને બાંદ્રા સ્થિત પોતાના ફ્લેટમાં ફાંસી લગાવી આપઘાત કરી લીધો હતો. રિપોર્ટ્સ પ્રમાણે સુશાંત છેલ્લા કેટલાક મહિનાથી ડિપ્રેશનમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

માનવામાં આવી રહ્યું છે કે સોમવારે સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાની હિરોઇન સંજના સાંધી સાથે પોલીસ પુછપરછ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસ સંજના પાસેથી સુશાંતના મેન્ટલ સ્ટેટસ અંગે જાણકારી મેળવવા ઇચ્છે છે. કારણ કે છેલ્લી વાર સુશાંતે તેની સાથએ જ ફિલ્મમાં કામ કર્યું હતું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page