Only Gujarat

Religion

અહીંની ગુફામાં હતાં મહાભારત કાળના રહસ્યમય વિમાન, નજીક જનારા થઈ ગયા હતાં ગાયબ

કંદહારઃ આપણા ધર્મગ્રંથોમાં વિમાનનો અનેખ જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમ કે કુબેરની પાસે મનની ઇચ્છાથી ચાલતું વિમાન હતું. મુસાફરની સંખ્યા પ્રમાણે તેનો આકારમાં વધ-ઘટ થતી. થોડા વર્ષ પહેલા કંદહારમાં અમેરિકન સૈનિકોને એક ગુફામાંથી એક પ્રાચીન યંત્ર મળ્યું, જે વિમાન જેવું જ હતું. અમેરિકન સૈનિક કંઇક બીજું જ શોધી રહ્યાં હતા અને તેમના હાથમાં એક પુરાતત્વ વસ્તુ લાગી. એ ગુફામાં જ્યારે તેઓ અંદર ગયા તો એક મોટું અને કોઇ કથામાં ઉલ્લેખ હોય એવું વિમાન હતું. થોડા સમય બાદ ત્યાં ટાઇમઝોન એક્ટિવ થઇ ગયો અને 8 સૈનિક અચાનક ગાયબ થઇ ગયા.

ઉલ્લેખનીય છે કે આતંકવાદી ઓસામા બિન લાદેનને શોધવા માટે અમેરિકાએ આકાશ-પાતાળ એક કર્યા હતા. ઓસામા બીન લાદેનને શોધવામાં અમેરિકાને અંદાજે 10 વર્ષનો સમય લાગ્યો. આ શોધખોળ દરમિયાન અમેરિકન સૈનિકોને પૌરાણિક ઇતિહાસ સાથે જોડાયેલું આ યંત્ર મળ્યું જેના વિશે જાણવા બધા ઉત્સુક થઇ ગયા.

આ વિમાનની લંબાઇ અંદાજે 12 ફૂટ છે. આવા જ એક વિમાનનો ઉલ્લેખ મહાભારત યુગની કથામાં જોવા મળે છે. જેમાં જણાવવામાં આવ્યું કે 4 પૈડાવાળું 12 ફૂટનું એક વિમાન છે. તેના પૈડામાં અનેક અસ્ત્ર લાગે છે, જે યુદ્ધ દરમિયાન દુશ્મનોનો વિનાશ કરી શકે છે.

જાણકારી પ્રમાણે જ્યારે આ વિમાનને સંક્રિય કરવાના પ્રયાસ કરવામાં આવ્યા તો ટાઇમ ઝોન એક્ટિવ થઇ ગયો અને જોત જોતામાં જ તેની નજીક ઉભેલા 8 અમેરિકન સૈનિક ગાયબ થઇ ગયા. તથા વિમાનને ચાલુ કરતી વખતે તીવ્ર પ્રકાશ ઉત્પન્ન થયો, જેવું મહાભારતની કહાનીઓમાં જોવા મળે છે.

સૈનિકોના ગાયબ થવાની આ ઘટના બાદ રશિયન ફોરેન્સિક ઇન્ટેલિજન્સ સર્વિસે તેની શોધખોળ હાથ ધરી હતી અને બાદમાં એક રિપોર્ટ રજૂ કર્યો. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે આ વિમાન અંદાજે 5000 વર્ષ જૂનું છે અને આવા વિમાનનો ઉલ્લેખ ભારતના ગ્રંથ મહાભારતમાં કરવામાં આવ્યો છે.

અન્ય એક જે મહાભારત કાળની હોવાની પુષ્ટી કરે છે, એ છે કે મહારાજા ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારી, ગંધારની રાજકુમારી હતી. અફઘાનિસ્તાનમાં સ્થિત આજનું કંદહાર જ એ સમયનું ગંધાર રાજ્ય છે. જેઓ ઇતિહાસ જાણે છે તેમને ખબર છે કે આજનું અફઘાનિસ્તાન એ સમયે આર્યાવર્તનો ભાગ હતો.

અહીં એક્ટિવ થઇ જનારા ટાઇમ વેલના કારણે જ આ વિમાનને ગુફામાંથી કાઢવું શક્ય બન્યું નથી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ટાઇમ વેલ એક એવો ઝોન હોય છે, જે અહીં આવતા દરેક વ્યક્તિને ગાયબ કરી દે છે. આવું આ વિસ્તારમાં ઉત્પન્ન થતી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સના લીધે થાય છે.

જાણકારી મળ્યા બાદ આ વાતની તપાસ માટે પહોંચેલી 40 સભ્ય અને જર્મન શેફર્ડ ડોગની ટીમ પણ ગાયબ થઇ ગયા. કારણ કે જે સમયે તેઓ જાણકારી એકત્રિત કરી રહ્યાં હતા એ સમયે ટાઇમ વેલ એક્ટિવ થઇ જવાથી બધા સૈનિકો ગાયબ થઇ ગયા.

વૈજ્ઞાનિકો ગાયબ થયેલા તમામ સૈનિકોના મૃત્યુની વાત એટલા માટે નથી કરી રહ્યાં કારણ કે એ સમયે કોઇના પણ મૃતદેહ મળ્યા નથી. ઉલ્લેખનીય છે કે સંસ્કૃતના પ્રાચીન ગ્રંથોમાં અંદાજે 113 વિમાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page