Only Gujarat

Bollywood FEATURED

સુશાંતની બહેનો ડ્રગ્સ લેતી અને એક તો દારૂની હતી શોખીનઃ પૂર્વ મેનેજરના વકીલનો દાવો

સુશાંત સિંહ રાજપૂત કેસ ડ્રગ એંગલને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. જ્યારથી આ એન્ગલ ચર્ચામાં આવી રહ્યું છે ત્યારથી એવી અટકળો થઈ રહી છે કે સુશાંતને માદક દ્રવ્યોમાં દબાણ કરવામાં આવતું હતું. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રિયા તેની સાથે ડ્રગ્સ પણ લેતી હતી. પરંતુ હવે સુશાંતના એક્સ મેનેજર શ્રુતિ મોદીના વકીલે ચોંકાવનારા નિવેદનો આપ્યા છે.

સુશાંતની બહેન થતી હતી ડ્રગ પાર્ટીમાં શામેલ?
ઇડીએ શ્રુતિ મોદી સાથે ઘણીવાર સવાલો કર્યા છે. તે દરમિયાન શ્રુતિના વકીલ અશોક સરોગીએ તેમને ખૂબ મદદ કરી. હવે એ જ અશોક સરોગીએ દાવો કર્યો છે કે સુશાંત સિંહ રાજપૂતની બહેનો પણ એવી પાર્ટીઓમાં ભાગ લેતી હતી જ્યાં ડ્રગ્સનો ઉપયોગ થતો હતો. તેઓ કહે છે- સુશાંતના પરિવારે ઓછામાં ઓછી ત્રણ પાર્ટીઓ એટેન્ડ કરી હતી. તે પાર્ટીઓમાં ડ્રગ્સનો ઉપયોગ થતો હતો. તેની એક બહેન, જે મુંબઇમાં રહેતી હતી, તે દારૂની શોખીન હતી અને ડ્રગનું સેવન થતું હોય એવી ઘણી પાર્ટીઓમાં તે હાજર રહી હતી.

વકીલને તો એવું પણ લાગે છે કે સુશાંતનો પરિવાર જાણે છે કે સુશાંત ડ્રગ્સ લઈ રહ્યો છે. આ સંબંધમાં તેમણે જણાવ્યું હતું કે સોહેલ અને કેશવ સાથે મળીને કોર્ડિનેટ કરતા હતા, જ્યારે અન્ય મિત્રો આયુષ અને આનંદી સુશાંતના ઘરે રહેતા હતા, તમામ ડ્રગ્સનો એકસાથે ઉપયોગ કરતા હતા. સુશાંતની બહેનો પણ ઘણી પાર્ટીઓમાં સામેલ થતી હતી.

અશોક વતી એવું પણ કહેવાતું હતું કે એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે જ્યાં સુશાંત અને રિયા સિવાય સોહેલ અને કેટલાક મિત્રો હાજર હતા. તે ગ્રુપમાં, ડ્રગને એકે 47 પણ કહેવામાં આવતુ હતુ. તેમના મતે, એવું ન થઈ શકે કે જે લોકો આ ગ્રુપમાં હતા તેઓ ડ્રગ્સનું સેવન કરતા ન ગોય. બધા ડ્રગનો ઉપયોગ કરવામાં આવતો હતો.

ડ્રગ્સે સુશાંતની કારકિર્દીને કરી અસર
શ્રુતિ મોદીના વકીલે કહ્યું કે ડ્રગ્સને કારણે સુશાંતની કારકિર્દી પર અસર થવા લાગી હતી. એક કિસ્સો શેર કરતા તેમણે કહ્યું, ‘જાન્યુઆરીમાં એક કંપની સુશાંતને તેનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા માંગતી હતી. પરંતુ તે સમયે, તે ટાઉનમાં ન હતો, તેથી કંપનીએ કહ્યું હતું કે તે અભિનેતાના જૂના ફોટાથી કામ ચલાવશે, પણ પચાસ ટકા ઓછા પૈસા ચૂકવશે. સુશાંતે આ ડીલને મંજૂરી આપી ન હતી અને મુંબઈ આવવાનું વચન આપ્યું હતું. પરંતુ જ્યારે સુશાંત મુંબઇ પહોંચ્યો ત્યારે તેની હાલત જોઈને કંપનીએ તે ઓફર રદ કરી દીધી હતી. સુશાંત તે સમયે બરાબર નહોતો.

સુશાંતનો તેની બહેનો સાથેનો સંબંધ કેવો છે?
સુશાંતના પરિવાર વિશે પણ અનેક પ્રકારના નિવેદનો આપવામાં આવ્યા છે. રિયા ચક્રવર્તીએ તો એમ પણ કહ્યું હતું કે સુશાંતનો તેના પરિવાર સાથે સારો સંબંધ નથી. હવે શ્રુતિના વકીલે પણ આવી જ દલીલ કરી છે. તેમના કહેવા મુજબ સુશાંતનો તેની બહેનો સાથે ઝઘડો થયો હતો. તેઓ જણાવે છે, ‘નવેમ્બરમાં સુશાંતની ત્રણ બહેનો તેને મળવા માટે આવી હતી. દરેકને પછીથી સુશાંત સાથે પાછા ફરવાનું હતુ.

પરંતુ 27 નવેમ્બરના રોજ મોટી લડાઈ થઈ અને ત્રણેય બહેનો લલિત હોટલમાં ગઈ. સુશાંત પોતે એટલા પરેશાન હતા કે તેમને હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. સુશાંતને ત્યાં તેના પિતાનો ફોન આવ્યો, જ્યારે તેણે તે ફોન લેવાની ના પાડી હતી. તે કહી રહ્યો હતો કે હું પરિવાર સાથે વાત કરવાને કારણે હોસ્પિટલમાં આવ્યો છું, હવે તેમની સાથે વાત કરીને મારું સ્વાસ્થ્ય બગાડવા માંગતો નથી.’

હવે જો શ્રુતિ મોદીના વકીલના આ નિવેદનમાં કોઈ સત્યતા છે, તો તે આઘાતજનક હશે. સુશાંતનું તેની બહેનો અને પિતા સાથે આવું કરવું આશ્ચર્યજનક છે અને ઘણા કેસોના સમીકરણો પણ બદલાઈ શકે છે. આમતો, વકીલે સુશાંતની આર્થિક સ્થિતિ વિશે પણ વાત કરી છે. તેમના કહેવા પ્રમાણે સુશાંતના ઘણા ખાતામાં 8 કરોડ રૂપિયા હતા, જ્યારે ઘણા ખાતામાં તેની બહેન પ્રિયંકા નોમિની હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page