કેરળના એક વ્યક્તિ દેવી તરીકે કોરોનાવાયરસની પૂજા કરે છે. આ વ્યક્તિનું નામ અનિલન મુહૂર્થમ અને કોલ્લમના રહેવાસી છે. અનિલન કહે છે, હું દેવીના રૂપમાં કોરોનાવાયરસની પૂજા કરું છું. આ પૂજા આરોગ્ય કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ અને વૈજ્ઞાનિકોના રક્ષણ માટે છે. અનિલને મંદિરમાં થર્મોકોલથી બનેલા કોરોનાવાયરસની રેપ્લિકા લગાવી છે અને તેની પૂજા દેવી તરીકે કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ
સોશિયલ મીડિયા પર આ કામ પર સવાલ ઉઠી રહ્યા છે. સોશ્યલ મીડિયા યૂઝર્સનું કહેવું છે કે અનિલન ફક્ત તેની પબ્લિસિટી માટે જ આ કામ કરી રહ્યા છે. જ્યારે, કેટલાક કહે છે, આ અંધશ્રદ્ધા છે.
સોશિયલ મીડિયા પર ટ્રોલ થવાને ધ્યાનમાં લીધા વિના,અનિલન કહે છે, “લોકો કોરોના દેવીની પૂજા કરવા માટે તેમની મજાક ઉડાવી રહ્યા છે પરંતુ જાગૃતિ લાવવાની આ મારી પોતાની રીત છે.”
ઘરની પાસે બનાવ્યુ છે મંદિર
અનિલને તેના ઘરની નજીક એક મંદિર બનાવ્યું છે, જેમાં કોરોનાની પ્રતિકૃતિ લટકાવવામાં આવી છે. તે કહે છે, હું અહીં દરરોજ દેવીની જેમ કોરોનાવાયરસની પૂજા કરું છું. આ સમયે પ્રત્યેક માનવી કોરોના ચેપને લીધે ડરેલો છે.
અનિલન કહે છે કે, હિન્દુ માન્યતા મુજબ આપણે દરેક કણમાં ભગવાનને જોઈએ છીએ. જ્યારે હું આ વાયરસને જોઉં છું, ત્યારે લાગે છે કે દેવીનો વાસ છે, તેથી હું તેની પૂજા કરું છું.
સોશ્યલ મીડિયા પર વીડિયો વાયરલ
તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક યુઝર્સે ટ્વિટર પર લખ્યું, “આ વ્યક્તિ નવા ભગવાનની તૈયારી કરી રહ્યો છે.” બીજા યુઝર્સે લખ્યું, 21 મી સદીમાં, આવા લોકોનો વ્યવસાય ઝડપથી વધી રહ્યો છે.