મુંબઇઃ એક્ટ્રેસ અને સાંસદ જયા બચ્ચન 72 વર્ષની થઇ ગઇ છે. તેમનો જન્મ 9 એપ્રિલ 1948ના રોજ જબલપુરમાં થયો હતો. અનેક યાદગાર ફિલ્મોમાં કામ કરી ચૂકેલી જયા ભલે હાલમાં ફિલ્મોથી દૂર છે પરંતુ એક સમય હતો જ્યારે તે ફિલ્મોમાં સફળ એક્ટ્રેસ હતી. જયાએ 1971માં આવેલી ફિલ્મ ગુડ્ડીથી કરિયરની શરૂઆત કરી હતી. જયાએ 1973માં અમિતાભ બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. લગ્નના કેટલાક વર્ષો બાદ રેખા અને અમિતાભના અફેરની ખૂબ ચર્ચા જાગી હતી. જયા હાલમાં દિલ્હીમાં છે. દીકરા અભિષેક અને દીકરી શ્વેતાએ જયાને બર્થ-ડે વિશ કર્યું હતું.
કહેવામાં આવી રહ્યું છે કે 1976માં આવેલી ફિલ્મ દો અનજાનેના શૂટિંગ દરમિયાન અમિતાભ અને રેખા નજીક આવ્યા હતા. રેખા અને અમિતાભના અફેરના કિસ્સાઓ બી-ટાઉનમાં ખૂબ ચર્ચાતા હતા.જોકે. બંન્નેના અફેરની વાતો જયા સુધી પહોંચી તો તેણે એક દિવસે રેખાને ડિનર પર બોલાવી હતી અને બાદમા બધુ બદલાઇ ગયુ હતું.
રિપોર્ટ્સ અનુસાર, એક દિવસ જ્યારે અમિતાભ બચ્ચન શૂટિંગ માટે મુંબઇથી બહાર હતા ત્યારે જયાએ રેખાને ડિનર પર બોલાવી હતી. જયાએ રેખાને ફોન કર્યો. જોકે, જયાનો ફોન રિસીવ કરતા સમયે વિચારી રહી હતી કે જયા તેના પર નારાજ થશે. પરંતુ એવું કાઇ થયું નહી. જયાએ ખૂબ સાદગીથી રેખાને ડિનર માટે પોતાના ઘરે બોલાવી હતી.
જયાના આમંત્રણ પર રેખાએ વિચાર્યું હતું કે, ડિનર પર બોલાવીને જયા તેનું અપમાન ના કરે. પરંતુ જયાએ રેખાનુ સ્વાગત કર્યું. તેની સાથે ઘણી વાતો કરી. જેમાં અમિતાભનો ઉલ્લેખ પણ કર્યો નથી.
જ્યારે રેખા ઘરેથી જઇ રહી હતી ત્યારે જયાએ રેખાને કહ્યું કે, ગમે તે થઇ જાય હું અમિતને છોડીશ નહીં. જયાની આ વાત સાંભળીને રેખા ચોંકી ઉઠી હતી.
જયાના રેખા સાથે ડિનરે આગલા દિવસે મીડિયાની હેડલાઇન બન્યા હતા.જોકે, આ દરમિયાન જયા કે રેખાએ કોઇ નિવેદન આપ્યું નહોતું. અમિતાભને જ્યારે આ વાતની જાણ થઇ ત્યારે તેણે રેખાથી અંતર બનાવી લીધું.
યાસિર ઉસ્માનના પુસ્તક રેખાઃ ધ અનટોલ્ડ સ્ટોરીના કહેવા પ્રમાણે, દો અનજાનેના શૂટિંગ દરમિયાન રેખા સેટ પર ટાઇમ પરથી આવતી નહોતી. અનેકવાર તે શૂટિંગમાં સીરિયસ નહોતી. આ જોઇને અમિતાભે એકવાર રેખાને સલાહ આપી હતી કે તે સમય પર સેટ પર આવે અને સીરિયસલી ફિલ્મ કરો. આ સલાહ બાદ રેખાને અમિતાભ સારા લાગવા લાગ્યા હતા અને તે ટાઇમ પર સેટ પર પહોંચવા લાગી હતી.
નોંધનીય છે કે છેલ્લે 1981માં આવેલી ફિલ્મ સિલસિલામાં રેખા અને અમિતાભ સાથે જોવા મળ્યા હતા.