લૉકડાઉન હોવા છતાં ભારતમાં સતત વધ્યાં કોરોનાના કેસ, મે મહિનામાં લૉકડાઉન નહીં થાય પૂર્ણ!
નવી દિલ્હીઃ 24 માર્ચથી ચાલી રહેલા લોકડાઉનને કારણે દેશની જનતાને મોટા પ્રમાણમાં ચેપ લાગવાથી બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ હમણાં લોકડાઉનમાંથી મુક્તિ મળવાના કોઈ સંકેતો નથી. વિદેશ મંત્રાલય, આરોગ્ય મંત્રાલય, ગૃહ મંત્રાલયના અધિકારીઓ હમણાં જ આ વિશે કંઈ કહેવાની સ્થિતિમાં નથી.
રાજસ્થાન, પંજાબ અને મહારાષ્ટ્ર સરકારોના અધિકારીઓ પણ માને છે કે કોવિડ -19 સામેની લડાઈ લાંબી રહેશે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નિષ્ણાતોને ટાંકીને આશંકા વ્યક્ત કરી હતી. રામ મનોહર લોહિયા હોસ્પિટલના સિનિયર ડોકટરે કેપ્ટન અમરિંદર સિંહની ધારણાને લગભગ યોગ્ય ગણાવી છે.
ત્રીજા તબક્કાની ઘણી નજીક છે કોવિડ-19: જયપુર હેલ્થ ડિપાર્ટમેન્ટના સ્ત્રોતના મતે, અમને કેન્દ્ર સરકાર દ્વારા મોકલવામાં આવેલી ઝડપી પરીક્ષણ કીટમાં ખૂબ વિશ્વાસ હતો. તેને ચીનમાંથી ભારત સરકારે મંગાવી હતી. પરંતુ કીટનાં ખોટા પરિણામોએ એકવાર ફરી મુંઝવણમાં મુક્યા હતા.
હવે સ્થિતિ એવી છે કે જ્યાં સુધી ICMR પરિસ્થિતિ અંગે સ્પષ્ટતા નહીં કરે ત્યાં સુધી કોવિડ -19 ની સ્ક્રીનિંગ પ્રક્રિયા બંધ રહેશે. તેની તપાસમાં સંસાધનોની કમી સતત આડે આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલાં આંકડાઓ મુજબ દેશમાં કોવિડ-19થી સંક્રમણની સંભાવનાવાળો લોકોની સંખ્યા પણ 20 હજારથી વધુ છે.
આમાં 3870 લોકો સાજા થયા છે અને 640 લોકો ચેપથી મૃત્યુ પામ્યા છે, તેમાંથી મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, તામિલનાડુ, રાજસ્થાનમાં કેસ સતત વધી રહ્યા છે.
આ આંકડા મંગળવાર (21 એપ્રિલ)ના છે, પરંતુ દિલ્હીના ડોકટરો કહે છે કે હવે આ સંખ્યા 21 હજારની ઉપર જઈ રહી છે. કોવિડ -19 પર નજર રાખતી કેન્દ્ર સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર દેશમાં આ સમયે 21 હજારથી વધુ લોકોને ચેપ લાગ્યો છે. ચેપથી મૃત્યુઆંક 652 ને વટાવી ગયો છે.
મે મહિનામાં થોડી રાહત સાથે લોકડાઉન વધશેઃ લખનઉના કોવિડ -19 સેલના એસજીપીજીઆઈ (સંજય ગાંધી)ના ડોકટરનો અંદાજ છે કે મે મહિનામાં લોકડાઉન થોડી ઢીલ સાથે ચાલુ રહેશે. આવી જ માહિતી મહારાષ્ટ્ર સરકાર પાસેથી મળી રહી છે. કોવિડ -19 ચેપ ભોપાલ અને ઈન્દોરમાં ફેલાઈ રહ્યો છે.
ઈન્દોરની પરિસ્થિતિ સતત ગંભીર બની રહી છે. આ અંગે ભોપાલના ડીએમ તરૂણકુમાર રાઠોડ કહે છે કે તમામ જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે. લોકડાઉનનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં સ્થિતિ નિયંત્રણમાં આવે તેવી સંભાવના છે. પરંતુ ઇન્દોરની પરિસ્થિતિ હજી સ્પષ્ટ નથી.
મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની ટીમ કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ મોટા પાયે સ્ક્રીનિંગની તૈયારી કરી રહી છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ અને મધ્યપ્રદેશના અહેવાલો અનુસાર 3 મે પછી પણ લોકડાઉન વધશે.
કેન્દ્ર સરકાર શાંત, ટાળી પ્રેસ કોન્ફરન્સ! કેન્દ્ર સરકારે બુધવારે કોવિડ -19 સંબંધિત દૈનિક પ્રેસ કોન્ફરન્સ મુલતવી રાખી હતી. આઇસીએમઆરના ડો.રમન ગંગાખેડકર, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલ, ડિરેક્ટર રવિન્દ્રન, આઇસીએમઆરના વડા ડો. બલરામ ભાર્ગવ હાલમાં આ મુદ્દે ચૂપ છે.
નીતિ આયોગના સભ્ય ડો.વિનોદ કે પોલની અધ્યક્ષતાવાળી ટીમ, બુધવારે 22 એપ્રિલના રોજ રણનીતિની સમીક્ષા કરી રહી છે. ડો.પોલની ઓફિસથી પ્રાપ્ત માહિતી અનુસાર, ડો. પોલનુ રૂટિન ખૂબ જ વ્યસ્ત છે. એવું માનવામાં આવે છે કે કેન્દ્ર સરકાર રેપિડ ટેસ્ટિંગ કિટ અથવા કોવિડ -19 ના વધુ પરીક્ષણ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે ઉચ્ચ સ્તરે વ્યૂહરચના બનાવવામાં વ્યસ્ત છે.
લોકડાઉનના 30 દિવસ પછી, શું ખોવાયુ, શું મળ્યું: 24 માર્ચથી 22 એપ્રિલ સુધીના આ 30 દિવસની સમીક્ષા પર ડો. રામ કહે છે કે જે રીતે તબીબી સંસાધનોનો અભાવ હતો, તેને કારણે, કોવિડ -19 નો ચેપ દેશમાં બહુ ફેલાયો નથી.
લોકડાઉન દસ દિવસ વધારે ચાલવાનું છે, પરંતુ હજી પણ કોવિડ 19નાં સંક્રમિતોની તપાસ, સ્ક્રીનિંગ રફ્તાર પકડી શકી નથી. એટલા માટે તે ચિંતાની વાત છે કે, આખરે ક્યાં સુધી દેશને લોકડાઉનમાં રાખવામાં આવશે.
ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)ના ડોક્ટર કહે છે કે લોકડાઉન સિવાય કોઈ વિકલ્પ નહોતો. પરંતુ જે હેતુથી લોકડાઉન થયું હતુ, તેને આંચકો લાગ્યો છે. તે હજુ સુધી દેખાઈ રહ્યું નથી કે 3 મે પછી કેન્દ્ર સરકાર અચાનક લોકડાઉન હટાવવાનો નિર્ણય લેશે.