હરિયાણાના પાનીપતમાં રવિવાર 9 ઓગસ્ટે અંદાજે 9 વાગ્યે એક મહિલાની હત્યાની ઘટના સામે આવી. આ હત્યા મહિલાના દેવરે ચાકુથી છાતી પર વાર કરવાથી અંજામ આપ્યો. આરોપી પોતાની પત્નીને પણ મારવા માગતો હતો પરંતુ તે જીવ બચાવીને ભાગી ગઇ. પત્નીનો આરોપ છે કે તેનો પતિ અને જેઠ યુવતીઓની સપ્લાઇ કરે છે. બંને ભાઇઓ પોતાની પત્ની પાસે પણ દેહવ્યાપાર કરાવવા માગતા હતા. પરંતુ મૃતકા મનાઇ કરતી હતી.
પરિવારની બંને મહિલાઓ પોતાના પતિથી દૂર અલગ-અલગ રહેતી હતી. તો આરોપીનું કહેવું છે કે ભાભીના કારણે તે પોતાની પત્ની અને બાળકોથી 4 મહિનાથી દૂર હતો. ભાભી દ્વારા ઉક્સાવવાને કારણે તેની પત્ની ઘરે આવી રહી ન હતી. ઉલ્લેખનીય છે કે ભાભીની હત્યા બાદ આરોપી ચાલુ લઇને પત્ની પાછળ દોડ્યો હતો. આ દરમિયાન લોકો તમાસો જોઇ રહ્યાં હતા પરંતુ કોઇ પણ આરોપીને પકડવા આગળ આવ્યું નહીં. બાદમાં એક વકીલે પીછો કરી આરોપીને પકડી લીધો.
પોલીસના જણાવ્યા પ્રમાણે 35 વર્ષિય કવિતાના લગ્ન 12 વર્ષ પહેલા સૈંફી ઉર્ફ રોહિત સાથે થયા હતા. પરંતુ ઘણા સમયથી બંને વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હોવાથી તે 7 મહિનાથી પોતાના પતિથી દૂર દેશરાજ કોલોનીમાં જઇને રહેવા લાગી હતી. તે બ્યૂટી પાર્લર ચલાવતી હતી. તસવીરમાં દેખાઇ રહેલી આરોપીની પત્ની પ્રિયાએ જણાવ્યું કે ચાર મહિના પહેલા પતિએ તેની સાથે મારપીટ કરી. આથી તે પોતાની જેઠાણી કવિતા પાસે જઇને રહેવા લાગી હતી. પ્રિયાએ આરોપ લગાવ્યો કે તેનો જેઠ રોહિત અને પતિ ભરત સેક્સ રેકેટ ચલાવે છે. વે બંને મહિલાઓને આ દલદલમાં ધકેલવા માગતા હતા. થોડા સમય પહેલા પણ આરોપી ભાભીના ઘરે હુમલો કરવા આવ્યો હતો.
આરોપી ભરતે ભાભીની છાતી પર ચાકુથી અનેક વાર કર્યા. ઘટના બાદ થોડા લોકોએ મહિલાના ઇજાના નિશાન પર કપડાથી બાંધ્યું અને તેને સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવી પરંતુ તેનું મૃત્યુ થઇ ગયું. કવિતાના બે પુત્ર છે. મોટો પુત્ર ગૌરવ 10 અને નાનો પુત્ર કૃષ્ણ 6 વર્ષનો છે. પ્રિયાની એક પુત્રી ધ્રુવી છે.
આરોપીની પત્ની પ્રિયાને પણ મોતને ઘાટ ઉતારવા માગતો હતો આ માટે તે હાથમાં ચાકુ લઇને દોડ્યો હતો પણ એક વકીલ ડી કે પંડીતે ત્યાં ક્રિકેટ રમી રહેલા બાળકો પાસેથી બેટ છીનવી આરોપી પર પ્રહાર કર્યા. ત્યારબાદ કેટલાક લોકોએ આરોપીને પકડી લીધો.
પાંચ મહિના પહેલા પાનીપતના ફ્લોરા ચોક પર ચાકુ મારી થયેલી 25 વર્ષિય યુવક દુર્વેશની હત્યાનો મામલાનો ભેદ ઉકેલાઇ ગયો છે. આ મામલે પોલીસે દિલ્હીથી 3 સુપારી કિલરની ધરપકડ કરી છે. મૃતકના લગ્નને 8 મહિના થયા હતા. યુપીના અલીગઢમાં રહેતા દુર્વેશ પાનીપરમાં નાંગલખેડીમાં ભાડાના ઘરમાં રહેત હતો. 21 માર્ચની રાતે સેક્ટર 29 સ્થિત ફેક્ટ્રી જતી વખતે તેની હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે અલીગઢના રહેવાસી દુષ્યંતના દુર્વેશની પત્ની સાથે લગ્ન પહેલા પ્રેમ પ્રસંગ ચાલી રહ્યાં હતો. આથી તેણે સુપારી દઇ આ હત્યા કરાવી હતી.
આ ઘટના હિસારના ભુના સાથે જોડાયેલી છે. પોતાની પત્નીને સોનાના ઘરેણા ગિફ્ટ કરવા માટે કુસ્તી કોચ અને પહેલવાને એક પેસ્ટીસાઇડ વેપારીને 10 લાખ રૂપિયાની અડી દાળ આપી. આરોપીએ વેપારી રાકેશ સિંગલા ઉર્ફ રાકુના ઘરમાં એક લેટરમાં કારતૂકનો ખોલ છોડી ધમકાવ્યો હતો. પરંતુ CCTV ફૂટેજની મદદથી પોલીસ આરોપી સુધી પહોંચી ગઇ. આરોપી 35 વર્ષિય કરણ સિંહના લગ્ન આ 15 માર્ચે થઇ હતી. આરોપી એકેડમીમાં ખોટી સંગતને કારણે ભટકી ગયો હતો.