સુરતઃ આ કહાનીઓ કોરોનાની સામેની લડાઈમાં લોકોની જીત બતાવે છે. કોરોનાના સંક્રમણને લઈને ડરવાની નહીં પણ, સતર્ક રહેવાની જરૂર છે. આવા જ બે દર્દીઓ સુરતથી ડિસ્ચાર્જ થયા, જેમણે પોતાની સકારાત્મક વિચારસરણીના કારણે કોરોનાને હરાવી દીધો. જેમાં એક બાળકી માહિરા પણ સામેલ છે. શુક્રવારે (પહેલી મે) 26 દર્દીઓ કોરોનાને હરાવીને ડિસ્ચાર્જ થયા. ગુજરાતમાં હવે દર્દીઓના સાજા થવાનો દર વધી રહ્યો છે. ત્યાં જ, એક બાળક મધ્યપ્રદેશના જબલપુરથી સાજો થઈને ઘરે પાછો આવ્યો.
સુરતના કોરોના વૉરિયરઃ શુક્રવારે સુરતમાં 26 દર્દીઓને સ્વસ્થ થયા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. એવામાં 70 વર્ષના ચંદ્રિકાબેન જરીવાલા અને 4 વર્ષની માહિરા પણ સામેલ છે. ચંદ્રિકાબેન 17 દિવસ હોસ્પિટલમાં રહ્યા. તેમને માત્ર બીપીની તકલીફ હતી. ચેપ કેવી રીતે લાગ્યો તે તેમને નથી ખબર. ચંદ્રિકાબેને 15 દિવસમાં રોજ ખાલી 2 રોટલી લેતા હતાં. બાકી તેઓ દૂધ અને અન્ય લિક્વિડ ડાયટ લેતા હતાં.
તો, ચાર વર્ષની માહિરા પણ 17 દિવસ બાદ સાજી થઈ. 15 દિવસ માહિરાને હૉસ્પિટલમાં જ દવા સિરપ જ આપવામાં આવી. તે તેનાથી સાજી થઈ ગઈ. માહિરાને સવારે અને સાંજે 5 એમએલ સિરપ આપવામાં આવતી હતી.
8 વર્ષના આકર્ષણ સોનીએ આપી કોરોનાને માતઃ મળીએ આ બાળકને, જે છે જબલપુરમાં રહેતો 8 વર્ષનો આકર્ષણ સોની. 18 દિવસ પહેલા જ્યારે તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો તો, પરિવારજનોની હાલત ખરાબ થઈ ગઈ હતી. બાળકને એકલો જ હૉસ્પિટલ લઈ જવો પડ્યો. તેને જ્યારે એમ્બ્યૂલન્સમાં બેસાડવામાં આવ્યો ત્યારે, તેની આંખમાં ઉદાસી હતી. આ દુઃખ કોરોનાથી વધારે પોતાના પરિવારથી દૂર રહેવાનું હતું. પરંતુ હવે આ બાળક કોરોનાને હરાવીને ઘરે પાછો આવ્યો છે.
આકર્ષણ સોનીને આ ગુરુવારે (30 એપ્રિલ) ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. બપોરે 12 વાગ્યે જ્યારે તેને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાંથી રજા મળી તો, તે ખુશ થઈ ગયો. આખા રસ્તે તે ખૂબ જ મસ્તી કરતા આવ્યો. આકર્ષણ સોની જ્યારે પોતાના મહોલ્લામાં પહોંચ્યો તો, પરિવારજનો અને અન્ય લોકોએ તેનો થાળી વગાડીને સ્વાગત કર્યું. મેડિકલ કૉલેજના ડીન ડૉ. પ્રદીપ કસારે જણાવ્યું કે, આકર્ષણને 14 દિવસ સુધી હોમ આઈસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.