જયપુરઃ રાજસ્થાનના સાંસદ ભાગીરથ ચૌધરીએ માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલ અને શિક્ષા મંત્રી ગોવિંદ સિંહ ડોટાસરાને પત્ર લખીને ખાનગી સ્કૂલોની ચાર મહિનાની ફી માફ કરવાની માગ કરી છે. તેમણે આ પત્ર પેરેન્ટલ ડેલિગેશનનાં મેમોરેન્ડમ પર લખ્યો છે.
ચૌધરીએ જણાવ્યુ કે, લોકડાઉન સમયગાળા દરમ્યાન વાલીઓની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે. ઔદ્યોગિક તેમજ વેપારની ગતિવિધીઓ બંધ થઈ જવાથી મધ્યમ, નાના અને નોકરી કરતાં પરિવારો ઉપર સીધી અસર થઈ રહી છે. પ્રધાનમંત્રીએ દરેક વર્ગને રાહત આપવાના ઉદ્દેશ્યથી આર્થિક ક્રિયાવિધીની જાહેરાત કરી છે. જેનો લાભ દરેકને મળશે.
અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્કૂલની ફીનો ભાર તો ચાલુ જ છે. CBSE, RBSE તેમજ માન્યતા પ્રાપ્ત વિદ્યાલયોનાં સંચાલકો દ્વારા વાલીઓને સતત ફી જમા કરવવાનો આદેશ આપવામાં આવી રહ્યો છે. વાલીઓની આર્થિક સ્થિતિને જોતા સરકારે ચાર મહિનાની ફી માફ કરી દેવી જોઈએ.
50 ટકા સ્ટાફે કાઢ્યા પરિણામ, હવે પરીક્ષાની તૈયારીઃ કોરોનાવાઈરસનાં સંક્રમણમાં વર્ક ફ્રોમ હોમની પ્રણાલીની તરફ આખી દુનિયાનાં પગલા વધ્યા છે. સરકારી અને ખાનગી કાર્યાલયો, કંપનીઓમાં અધિકારી-કર્મચારીઓ ઘરે બેસીને કામ કરી રહ્યા છે.
રાજ્યમાં RAS, કોલેજ, સ્કૂલ શિક્ષક અને અન્ય ભરતીઓને અંજામ આપનારા રાજસ્થાન લોક સેવા આયોગ પણ તેમાં સામેલ છે. અહીંયા ઉપ સચિવ, સહાયક સચિવ, અનુભાગ અધિકારી સહિત 50 ટકા કર્મચારીઓ સારી રીતે કામકાજ સંભાળી રહ્યા છે.
1949માં સ્થાપિત રાજસ્થાન લોક સેવા આયોગ RAS તેમજ ગૌણ સેવા ભરતી, પોલીસ ઈન્સ્પેક્ટર અને શાળાના ઉપ નિરીક્ષક, મુખ્ય શિક્ષક, તબીબી અને આરોગ્ય અને અન્ય મહત્વપૂર્ણ ભરતી પરીક્ષાઓ, પરિણામો કાઢવાનું કામ કરે છે. વર્ષ સુધી અહીંયા ભરતીઓ, પરીક્ષા, પરિણામ કાઉન્સલિંગ, સાક્ષાત્કાર ચાલે છે. અહીં અધ્યક્ષ અને ત્રણ સદસ્યો ઉપરાંત 300 અધિકારીઓ અને કર્મચારીઓ કાર્યરત છે.