માસૂમ રૂશાંક હત્યાકાંડમાં હત્યાના કારણ ઉપર કોઈ પણ વિશ્વાસ કરી રહ્યુ નથી. ડિપ્રેશનના કારણે પોતાના પુત્રને મોતને ઘાટ ઉતારી દે, શહેરમાં અગાઉ આવી કોઈ ઘટના બની ન હતી. તે એક સંબંધી હોય કે પાડોશી, દરેક કહે છે કે તેની પાછળ એક વિશેષ અને મોટું કારણ છે. આરોપીનું ગૂંગળાઈને જીવવું પણ તે તરફ ઈશારો કરી રહ્યુ છે.
જોકે, હજી સુધી કોઈ પુરાવા મળ્યા નથી. પરિવાર પણ કંઈ કહેવા તૈયાર નથી. આવી સ્થિતિમાં, બધા પ્રશ્નો વણઉકેલાયેલા છે. સિસામાઉના ગાંધીનગરમાં શુક્રવારે રાત્રે શેર બ્રોકર અલંકર શ્રીવાસ્તવે તેના સાત વર્ષના પુત્ર રુશાંક ઉર્ફે તારુષનું ગળું દબાવી હત્યા કરી હતી. પોલીસે પરિવાર અને આરોપીની પૂછપરછ કર્યા બાદમાં દાવો કર્યો હતો કે, ધંધો લોકડાઉનમાં બંધ હતો, જેના પગલે આરોપીઓ હતાશ થઈ ગયા હતા.
જેનાથી તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો. પરંતુ આ પછી પણ, કારણ ગળેથી ઉતરતું નથી. એસપી વેસ્ટ ડો.અનીલ કુમારે જણાવ્યું હતું કે, ડિપ્રેશન સિવાય હજી સુધી કોઈ અન્ય કારણ તપાસમાં આવ્યું નથી. તમામ પોઇન્ટ પર તપાસ કરવામાં આવી રહી છે. આરોપીએ વાતચીતમાં કોઈ ખાસ વાતનો ઉલ્લેખ કર્યો ન હતો. તેણે માત્ર ગુનાની કબૂલાત કરી છે.
આખરે ગભરાયેલો કેમ હતો અલંકાર
પોલીસના જણાવ્યા અનુસાર અલંકાર પરિવારને કહેતો હતો કે, કોઈ તેને મારી નાખશે અથવા પુત્રને નુકસાન કરશે. સવાલ એ છે કે આ ડર તેની અંદર કેમ હતો. કોઈએ તેને ધમકી આપી હતી? પોલીસ પાસે આ પ્રશ્નોના જવાબો નથી.
જોકે પોલીસ આ તમામ મુદ્દાઓની તપાસ કરી રહી છે. તો, તે પણ શોધી રહી છે કે વ્યવસાયમાં કોઈ મોટું નુકસાન અથવા દેવું તો ન હતુ. જેના કારણે તે હતાશાના આ સ્તરે પહોંચ્યો હતો.
બે કલાક આમ-તેમ ફરતો રહ્યો
અલંકારે મધ્યરાત્રિ બાદ પુત્રની હત્યા કરી હતી. તેણે સવારે પાંચ વાગ્યે પત્નીને કહ્યુંકે, તે પોલીસ સ્ટેશનને સમર્પણ કરવા જઇ રહ્યો છે. સવારે છ વાગ્યે ઘરની બહાર નીકળ્યો અને બે કલાક ફરતો રહ્યો. આખરે આઠ વાગ્યે તે સીસામાઉ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને સરેન્ડર કર્યું.