Only Gujarat

FEATURED National

એકસાથે 50 કોરોના દર્દીના મૃતદેહોને સળગાવી દેવામાં આવ્યા! વાયરલ વીડિયોથી ભડક્યા લોકો

કોરોનાનો કહેર ચાલુ છે આ દરમિયાન હૈદરાબાદથી એક એવી ઘટના સામે આવી છે જ્યાં એક સાથે કોરોના દર્દીના 50 મૃતદેહ સળગાવી દેવામાં આવ્યા. આ ઘટનાનો કથિત વીડિયો વાયરલ થઇ રહ્યો છે. (પ્રતિકાત્મક તસવીર)

આ ઘટના 21 જુનની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હૈદરાબાદના ઇએસઆઇ શ્મશાનથી સામુહિક અગ્નિસંસ્કારનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોના સામે આવ્યા બાદ વિપક્ષે્ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે અને સરકાર પર મૃત્યુના આંકડા છૂપાવવા અને ડેટા હેરફેરનો આરોપ લગાવ્યો છે.

મામલો વધુ ઉગ્ર બનતા સ્વાસ્થ્ય અધિકારીએ આ વાત પર સ્પષ્ટીકરણ આપ્યું છે. સ્વાસ્થ્ય વિભાગે સામુહિક અગ્નિ સંસ્કારને સ્વીકાર તો કર્યો પરંતુ કોરોનાના આંકડામાં કોઇ હેરફેર કર્યાથી મનાઇ કરી દીધી છે.

ઇએસઆઇ શ્મશાનના વીડિયો પર ચિકિત્સા શિક્ષાના નિદેશક ડોક્ટર રમેશ રેડ્ડીનું કહેવું છે કે કોરોના મૃતદેહને લઇ જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે એક જ વખતમાં 50થી વધુ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ બધુ બે-ત્રણ દિવસ જૂના મોત હતા.

તો આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર પણ લોકો ભડકી ગયા.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page