અમદાવાદઃ જો આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય તો આપણું શરીર કોઇપણ પ્રકારની બીમારીઓ સામે લડી શકે છે. જો તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત નહીં હોય તો ઈન્ફેક્શનનો ખતરો વધારે રહેશે. સામાન્ય રીતે જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેઓ કોઇપણ પ્રકારની બીમારીની ઝપેટમાં જલદી આવી જાય છે. આપણે ખાન-પાન સહિત ઘણા ઉપાયોથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરી શકીએ છીએ. તો રોજિંદા જીવનની કેટલીક ભૂલોથી રોગપ્રતિકારક શક્તિ નબળી પણ પડી શકે છે. આજે અમે તમને એ ભૂલો વિશે જણાવી રહ્યા છીએ.
બ્રેકફાસ્ટ ના કરવોઃ શરીરની ઊર્જા અને પોષક તત્વોની જરૂરિયાત પૂરી કરવા માટે આપણે રોજ હેલ્ધી બ્રેકફાસ્ટ લેવો જોઇએ, પરંતુ ઘણા લોકો સવારના નાસ્તાને અવોઇડ કરે છે. નાસ્તાને હેલ્ધી બનાવવા માટે તેમાં ઈંડાંનો સમાવેશ કરી શકાય છે. આ સિવાય તમે બ્રેકફાસ્ટમાં આયર્ન અને વિટામિન એથી ભરપૂર આહારનો સમાવેશ કરો. તેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે.
મોડું જમો તો વચ્ચે નાસ્તો કરોઃ રોજિંદા પણ સંબંધિત જરૂરિયાતોને પૂરી કરવા માટે અને જમવાના સમયની વચ્ચે લાગતી ભૂખ માટે નાસ્તો લેવો જોઇએ. જેનાથી લોહીમાં સુગરનું પ્રમાણ સંતુલિત રહે છે. તમે નાસ્તામાં ફળ, દહીં, દૂધ અને નટ્સ જેવી વસ્તુઓનું સેવન કરી શકો છો. ભરપૂર પોષણવાળો નાસ્તો તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે.
ભરપૂર પાણી ના પીવુંઃ શરીરના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે પૂરતું પાણી સૌથી જરૂરી છે. તે આપણા શરીરમાંથી નુકસાનકારક ટોક્સિનને પેશાબ વાટે બહાર કાઢે છે. નિર્ધારિત માત્રામાં પાણી પીવાથી પાચનતંત્ર મજબૂત બને છે, જેની સીધી અસર રોગપ્રતિકારક શક્તિ પર પડે છે.
વિટામિન સીથી ભરપૂર આહારઃ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે વિટામિન સી ખૂબજ મદદરૂપ છે. જોકે, આ પોષકતત્વો એકવાર લેવાનાં નથી, પરંતુ તેનું નિયમિત સેવન કરવું જોઇએ. વિટામિન સીની ઉણપ પૂરી કરવા માટે સિઝનલ ફળો અને શાકભાજીનો રોજિંદા આહારમાં સમાવેશ કરવો જોઇએ.