નવી દિલ્હી: ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ કોરોના દર્દીઓ માટે સૈફાઇ યુનિવર્સિટી ઓફ મેડિસિનની રાજનિર્વાણ બટીને બનાવવા માટેની મંજૂરી આપી દીધી છે. એલોપેથી અને આયુર્વેદના ઘટકોમાંથી તૈયાર કરવામાં આવેલી આ એલોપથી બટીનો ગંભીર કોરોના દર્દીઓના ઉપર પ્રયોગ સફળ રહી છે.
મંગળવારે પત્રકાર પરિષદમાં મેડિકલ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર રાજકુમારે કહ્યું કે, તેમણે ઋષિકેશનાં આયુર્વેદાચાર્ય યોગીરાજ નિર્વાણ દેવની સાથે મળીને શોધ કરીને રાજનિર્વાણ બટી તૈયાર કરી છે. આયુર્વેદનાં 12 અને એલોપથીનાં 1 ઘટકને મળીને કાઢા તૈયાર કરાયો છે.
પોઝિટિવ પરિણામ આવ્યા બાદ બટીનાં રૂપમાં બનાવવામાં આવી છે. તેનો કોરાના સંક્રમિત 40 ગંભીર ગર્દીઓ પર પરીક્ષણ કરવામાં આવ્યુ છે. તેમાં 9 દર્દી 60 વર્ષની ઉપરની ઉંમરવાળા અને 8 દર્દીઓ દમ, શુગર, કેન્સર અને હ્રદયની બિમારીથી પિડાતા હતા.
પોઝિટિવ પરિણામ આવ્યા બાદ બટીનાં રૂપમાં બનાવવામાં આવી છે. તેનો કોરાના સંક્રમિત 40 ગંભીર ગર્દીઓ પર પરીક્ષણ કરવામાં આવ્યુ છે. તેમાં 9 દર્દી 60 વર્ષની ઉપરની ઉંમરવાળા અને 8 દર્દીઓ દમ, શુગર, કેન્સર અને હ્રદયની બિમારીથી પિડાતા હતા.
તેમણે માહિતી આપી કે દવા વિશે માહિતી સીએમ યોગી આદિત્યનાથ અને આરોગ્ય પ્રધાનને આપવામાં આવી છે. તેઓએ તેને કોવિડ -19 હોસ્પિટલો માટે તૈયાર કરવાનું કહ્યું છે.
જેમ જેમ ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં ઘટાડો થાય છે, દવા તે બનાવવાના ઘટકોની ઉપલબ્ધતા અનુસાર તેને બજાર માટે પણ તૈયાર કરવામાં આવશે.