લદ્દાખની ગાલવન ઘાટીમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીનની સેનાના કાયર કૃત્ય વિશે આખા દેશમાં ચીનની સામે આક્રોશ ફેલાયેલો છે. ચીનની સેનાની ચાલબાઝીનો યોગ્ય જવાબ આપવા માટે LAC પર ભારતીય વાયુસેનાનાં ફાઈટર પ્લેન એક-એક કરીને દરેક એક્શન પર નજર રાખી રહ્યા છે. મિરાજ 2000 હોય કે સુખોઈ, અપાચે હેલિકોપ્ટર હોય કે પછી ચિનૂક દરેકનું લક્ષ્ય અચૂક છે અને ભારતીય વાયુસેનાની પુરી શક્તિ હાલનાં સમયે હાઈએલર્ટ પર છે.
LACના ગ્રાઉન્ડ ઝીરો પર જમીનથી લઈને આકાશ સુધી નજર રાખવામાં આવી રહી છે અને ચીનને જવાબ આપવા માટે એરફોર્સ પુરી તૈયારી કરી રહી છે. વાયુસેનાનાં પ્રમુખે પણ હૈદરાબાદમાં વાયુસેનાની પાસિંગ આઉટ પરેડમાં કહ્યુ હતુકે, ભારત કોઈ પણ એક્શન માટે તૈયાર છે અને જવાનું બલિદાન વ્યર્થ નહી જાય.
એવામાં જાણવું જરૂરી છેકે, જો વિપરિત પરિસ્થિતી બને છે તો ભારત અને ચીનની વાયુ શક્તિ કેટલી છે. અને કોણ તેની ઉપર ભારે પડી શકે છે. ભારતીય વાયુસેના ચીનને કોઈ પણ પરિસ્થિતીમાં ચોંકાવી શકે છે. કારણકે, ભારતીય વાયુસેનાની પાસે ઉંચાઈ પર ઉડાન ભરવાનો જબરદસ્ત અનુભવ છે.
ભારતે લદ્દાખમાં લડાકૂ વિમાન મિરાજ 2000 તૈનાત કર્યા છે. આ એજ ફાઈટર પ્લેન છે, જેનો ઉપયોગ બાલાકોટ એરસ્ટ્રાઈકમાં કરવામાં આવ્યો હતો. સુખોઈ 30 પણ એલર્ટ પર છે. ભારતનાં ફાઈટર હેલિકોપ્ટર સતત સીમા પર નજર રાખી રહ્યા છે. અપાચે હેલીકોપ્ટરની નજર પણ એલએસી પર થઈ રહેલી હરકતો પર છે. ચિનૂકનાં તમામ સૈનિકો અને હથિયારો ફોરવર્ડ ફ્રંટ પર મોકલવામાં આવી રહ્યા છે. જરૂરી સામાનોની સાથે Mi-17V5 હેલિકોપ્ટર પણ સતત ઉડાન ભરી રહ્યા છે.
ભારતની પશ્વિમ એરકમાન્ડની પાસે 75 એરક્રાફ્ટ છે અને 34 ગ્રાઉન્ડ અટેક એરક્રાફ્ટ છે. આ શ્રીનગર, લેહ, પઠાનકોટ, આદમિર અને અંબાલામાં તૈનાત છે. કેન્દ્રીય એરકમાન્ડ એટલે બરેલી, ગ્વાલિયર અને ગોરખપુર સેક્ટરમાં 94 ફાઈટર્સ એરક્રાફ્ટ અને 34 ગ્રાઉન્ડ એટેક એરક્રાફ્ટ છે. તેના સિવાય પૂર્વ એરકમાન્ડ એટલે જલપાઈગુડી, તેજપુર અને છાબુઆ સેક્ટરમાં 101 ફાઈટર એરક્રાફ્ટ છે.
ચીનની વાત કરીએ તો ચીનની વાયુ શક્તિ જુદા જુદા વિસ્તારોમાં તૈનાત નથી. ચીનની વેસ્ટર્ન થિયેટર કમાન્ડ પાસે 157 ફાઈટર્સ એરક્રાફ્ટ છે અને સટીક નિશાના લગાવનારા 20 યુએવી છે. ત્યાં 12 ગ્રાઉન્ડ એટેક યુએવી અને 8 ઇએ -03 યુએવી છે. ચીન પાસે 104 પરમાણુ મિસાઇલો છે જે આખા ભારતમાં પ્રહાર કરી શકે છે,જ્યારે ભારત પાસે અગ્નિ 3 લોન્ચર સિસ્ટમ છે જે ચીનમાં ગમે ત્યાં હુમલો કરી શકે છે. ચીન પાસે પણ 11000 અને 7000 કિ.મી.ની રેન્જવાળી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલો છે. તે ભારત સુધી અને અમેરિકા સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે.
ડીએફ -21 મિસાઇલ 2150 કિલોમીટરની રેન્જ ધરાવે છે અને આ સાથે ચીન દિલ્હીને લક્ષ્ય બનાવી શકે છે. આ સિવાય,ચાઇનામાં પૂર્વોત્તર ભારત અને ભારતના પૂર્વ તટ પર ન્યૂક્લિઅર સ્ટ્રાઈક કરવાની ક્ષમતા છે. બીજી તરફ,ભારતમાં ગુરુત્વાકર્ષણ બોમ્બથી સજ્જ 51 પરમાણુ સંચાલિત વિમાન છે અને ભારત તેના અગ્નિ 2 લોન્ચરથી ચીનના ઘણા વિસ્તારોને લક્ષ્ય બનાવી શકે છે.
ભારત અને ચીનની વાયુ શક્તિ વિશે વાત કરવામાં આવે તો ચીન એક સાથે ભારતીય વાયુ સંરક્ષણ સાથે સ્પર્ધા કરી શકે નહીં. ચીન પાસે ચોંકાવનારી મારક શક્તિ નથી અને ભારત પાસે જબરદસ્ત ઉંચાઈ પર લડાકુ વિમાનો અને અટેક હેલિકોપ્ટરને ઉડાવવાનો બેજોડ અનુભવ છે. આ મામલે ચીન ભારતની પાછળ હોવાનું દેખાય છે.
અહીં એ ભૂલવું ન જોઈએ કે ભારતે ચીન સાથેની સ્પર્ધા માટે ખાસ કરીને ઉત્તર અને પૂર્વ સરહદો પર પોતાનાં સૈન્ય તૈયાર કર્યા છે. ભારતની તરફેણમાં એક વ્યૂહાત્મક ફાયદો પણ છે કારણ કે ચીનની સૈન્ય શક્તિ વેરવિખેર છે. ચીનની તુલનામાં ભારતે જમીન, હવા અને સમુદ્રમાં જે રીતે પોતાની શક્તિ ગુપ્ત રીતે વહેંચી છે તેનાંથી ચીનની મુશ્કેલીઓ વધી શકે છે.
ભારતની રક્ષા તૈયારીઓને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કરી દીધું છે કે, ડેવલોપમેન્ટ હોય, એક્શન હોય, કાઉન્ટર એક્શન હોય, જળ-થળ-નભમાં આપણી સેનાઓએ દેશની રક્ષા માટે જે કરવું હોય તે કરી રહી છે. આજે આપણી પાસે એ ક્ષમતા છેકે, કોઈ આપણી એક ઇંચ પણ જમીન તરફ નજર નાખી શકતા નથી. આજે ભારતની સેનાઓ વિવિધ સેક્ટર્સમાં એક સાથે આગળ વધવામાં સક્ષમ છે.