કેદીએ પ્રાઈવેટ પાર્ટ કાપીને શિવલિંગ પર ચડાવ્યું, પછી એવી વાતો કહી પણ પોલીસ પણ ચમકી
કોરોના વાયરસના કહેરની વચ્ચે મધ્ય પ્રદેશમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં એક કેદીએ તેનું પ્રાઈવેટ પાર્ટ કાપીને જેલની અંદર બનેલાં મંદિરમાં શિવલિંગ ચઢાવી દીધું હતું. આ ઘટના બાદ જેલ વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
યુવકની હાલત નાજુક
હકીકતમાં આ ચોંકાવનારી ઘટના મંગળવારે ગ્વાલિયર સેન્ટ્રલ જેલમાં જોવા મળી હતી. આ બાબતની જાણ થતાં જ જેલ પ્રશાસને કેદીને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈને પહોંચી હતી, જ્યાં તેની સ્થિતિ સ્થિર રહી છે.
ઘણા કેસોમાં આરોપી સજા ભોગવી રહ્યો છે
આવી ઘટનાને અંજામ આપનારા આ કેદીનું નામ વિષ્ણુસિંહ રાજાવાત છે, અને તે ભીંડ જિલ્લાનો રહેવાસી છે. આરોપી અનેક ગુનાહિત કેસોમાં ગ્વાલિયર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. તેના પર હત્યાનો કેસ પણ નોંધાયેલ છે.
સપનામાં આવ્યા હતા ભોલેનાથ
આ મામલે જાણકારી આપતા ગ્વાલિયર સેન્ટ્રલ જેલના અધિક્ષક, મનોજ સાહુએ કહ્યું – કેદીએ સોમવારે રાત્રે ઉંઘમાં એક સપનું જોયા બાદ આ કૃત્ય કર્યુ છે. તો, ઘાયલ કેદી વિષ્ણુએ પોલીસને કહ્યું કે ભગવાન ભોલેનાથ રાત્રે સપનામાં આવ્યા હતા, તેમણે મને આમ કરવાનો આદેશ આપ્યો અને મેં આજે મારો ખાનગી ભાગ તેમને મંદિરમાં ભેટ કરી દીધો.
પહેલાં કરી શિવ ભગવાનની પૂજા, પછી કાપ્યો પ્રાઈવેટ પાર્ટ
તો જેલર પ્રભાતકુમાર શર્માએ મીડિયાને કહ્યું – કેદી વિષ્ણુસિંહ રાજાવત જેલના શિવ મંદિરમાં હંમેશની જેમ સવારે પૂજા કરવા ગયો હતો.
દરમિયાન, સવારે 6 વાગ્યે, તેણે પોતાનો ખાનગી ભાગ કાપીને શિવને અર્પણ કર્યો. આ ઘટના બાદ તેણે ચીસો પાડવાનું શરૂ કર્યું જ્યારે જેલનો સ્ટાફ તેને જોવા ગયો તો તે લોહીલુહાણ હાલતમાં હતો.