21મી સદીની આધુનિક દુનિયામાં અનેક એવી ઘટનાઓ બને છે જેના વિશે સાંભળ્યા બાદ લાગે છે કે આજે પણ અજ્ઞાનતા અને અંધવિશ્વાસ જીવીત છે. આવી જ એક ઘટના ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં સામે આવી છે. (પ્રતિકાત્મક તસવીર)
ઇંસ્પેક્ટર ઇટૌજા નંદકિશોરે મીડિયાને જણાવ્યું કે ઘટના અસરના ગામની છે. અહીં મૃતક બૃજેશની પત્ની અને ત્રણ બાળકો તેના ત્રણ ભાઇઓ તથા માતાની પુછપરછ કરવામાં આવી છે. પરિવારના જણાવ્યા પ્રમાણે બૃજેશ રાવતનું ચાર દિવસ પહેલા મૃત્યુ કોઇ બીમારીથી થઇ ગયું હતું. (પ્રતિકાત્મક તસવીર)
નાના ભાઇ ફૂલચંદે પરિવારજનોને કહ્યું હતું કે તે બ્રજેશને સાત દિવસમાં જીવતો કરી દેશે. તેણે પરિવારને ધમકાવ્યો કે જો કોઇએ તેની તંત્ર ક્રિયામાં અડચણ ઉભી કરી તો તેનો નાશ થઇ જશે. ત્યારબાદ તે મૃતદેહને લઇને ઘરના એક રૂમમાં બંધ થઇ ગયો. (પ્રતિકાત્મક તસવીર)
પાડોસીઓએ જ્યારે બૃજેશ અને ફૂલચંદ અંગે પુછ્યું તો પરિવારના લોકો ગભરાઇ ગયા. શંકા ગયા બાદ અને દુર્ગંધ આવ્યા બાદ પોલીસને સૂચના આપવામાં આવી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી રૂમનો દરવાજો ખખડાવ્યો પરંતુ ફૂલચંદે દરવાજો ખોલવાની મનાઇ કરી દીધી. (પ્રતિકાત્મક તસવીર)
ત્યારબાદ પોલીસે રૂમનો દરવાજો તોડી દીધો. રૂમની અંદર બૃજેશનો મૃતદેહ પડ્યો હતો અને ફૂલચંદ તેની પાસે બેસી તંત્ર સાધના કરી રહ્યો હતો. સૂચના મળ્યા બાદ સીઓ બીકેટી હદેશ કઠેરિયા અને એસપી ગ્રામીણ આદિત્ય પણ ઘટનાસ્થળે દોડી આવ્યા. (પ્રતિકાત્મક તસવીર)
ત્યારબાદ પોલીસે રૂમનો દરવાજો તોડી દીધો. રૂમની અંદર બૃજેશનો મૃતદેહ પડ્યો હતો અને ફૂલચંદ તેની પાસે બેસી તંત્ર સાધના કરી રહ્યો હતો. સૂચના મળ્યા બાદ સીઓ બીકેટી હદેશ કઠેરિયા અને એસપી ગ્રામીણ આદિત્ય પણ ઘટનાસ્થળે દોડી આવ્યા. (પ્રતિકાત્મક તસવીર)