કોરોના વાયરસ મહામારીમાં ફક્ત લોકોની લાઈફસ્ટાઈલ જ નથી સુધરી, પરંતુ ઘણા લોકોએ માંસાહારને પુરી રીતે છોડી દીધુ છે. તેમાંથી જ એક છે શિલ્પા શેટ્ટી. જી હા શિલ્પા શેટ્ટી હવે પુરી રીત શાકાહારી બની ગઈ છે. આ વાતની જાણકારી તેણે સોશિયલ મીડિયા દ્વારા શેર કરી છે. શિલ્પાએ ખેતરોમાંથી ઓર્ગેનિક શાકભાજી તોડતો એક વીડિયો બનાવ્યો હતો. જેનાં કેપ્શનમાં તેણે લખ્યુ છેકે, શાકાહારી થવા પાછળનું કારણ જણાવ્યું છે.
શિલ્પાએ લખ્યુ કે, આઈ નિર્ણય લેવો મારા માટે થોડો કઠિન હતો અને અશક્ય પણ હતો. પરંતુ તેમ છતાં હવે મે શાકાહારને હંમેશા માટે અપનાવી લીધો છે.
થોડા વર્ષોમાં મને લાગ્યું કે, ખાવા અને સ્વાદ માટે જાનવરોને મારવા તે ફક્ત જંગલો માટે નુકસાનકારક છે. અને સાથે કાર્બન ડાયોક્સાઈડ, મીથેન અને નાઈટ્રો ઓક્સાઈડની ભારે માત્રામાં ઉત્સર્જન થયુ છે.
આપણી ધરતી જે ક્લાઈમેટ ચેન્જનો સામનો કરી રહી છે, તેના માટે આ બધા જ જવાબદાર છે. શિલ્પાએ આગળ લખ્યુ, ‘વેજીટેરિયન બનવાનું ન ફક્ત જાનવરો માટે ફાયદાકારક રહેશે પરંતુ તેનાંથી હ્રદય રોગ, ડાયાબિટીઝ અને જાડાપણાથી બચીને રહીશું.
આ બધુ જ આપણી હેલ્થની સાથે ધરતીનાં સ્વાસ્થ્ય માટે પણ બહુજ જરૂરી છે. એટલા માટે પ્રકૃતિને પાછી લાવવા માટે હું જે યોગ્ય કરી શકતી હતી, તે મે કર્યુ.
શિલ્પા મુજબ, મેંગ્લોર(કર્ણાટક)થી હોવાને કારણે બાળપણથી જ માછલી અને ચિકન વગર તેનું ખાવાનું અધુરુ માનવામાં આવતુ હતુ. ત્યારબાદ જ્યારે તેણે યોગા અપનાવ્યા ત્યારે પણ મને લાગ્યુ કંઈક અધુરૂ છે.
ત્યારબાદ મે નિર્ણય કર્યો કે, મારે મારી અદત બદલવી જોઈએ અને આખરે 45 વર્ષ પછી હું એવું કરવામાં સફળ રહી.