કોરોનાએ આખા દેશમાં ખૌફ ફેલાવી દીધો છે. દરરોજ તેનાથી મરતા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન હરિયાણાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યો છે. જ્યાં અકસ્માતમાં પતિ-પત્ની સહિત ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં.
માહિતી અનુસાર, આ દર્દનાક ઘટના રવિવારે ભિવાની જિલ્લાના સિંઘાની ગામમાં બની હતી. જ્યારે યુવક તેની બાઇક પરથી પત્ની અને ભાઇ સાથે બીજા ગામ તરફ જઇ રહ્યો હતો ત્યારે સામેથી આવી રહેલ પીકઅપને તેઓએ ટક્કર મારી હતી.
જેમાં ત્રણેયનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તેણે ચીસો પાડી પણ મદદ કરવા માટે કોઈ નહોતું. જોકે બાદમાં પોલીસે આરોપી ડ્રાઈવર સામે ગુનો નોંધી તેની શોધ શરૂ કરી હતી.
મૃતક બિજેન્દ્રના લગ્ન 6 મહિના પહેલા નવેમ્બરમાં સુમિત્રા નામની યુવતી સાથે થયા હતા. બંનેએ એકબીજા સાથે થોડો સમય પસાર કર્યો હતો જે વિધાતાએ તેમને છીનવી લીધી.
તે પોતાની જિંદગીના સપના જોઈ રહ્યા હતા તે પહેલા જ શ્વાસ છુટી ગયા. દંપતીની સાથે મૃતકના ભાઈ નરેશનું પણ અકસ્માતમાં મોત નીપજ્યું હતું.