Only Gujarat

Bollywood FEATURED

સુશાંતના મોત બાદથી બોલિવૂડમાં હડકંપ, સલમાન ખાનને હવે લાગી રહ્યો છે ડર?

સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં કેસમાં ડ્રગ એંગલની તપાસ કરી રહેલી એનસીબી દ્વારા રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે, ત્યારથી બોલિવૂડનાં લોકો જોખમમાં મુકાયા છે. દરમિયાન મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રિયા ચક્રવર્તીએ ડ્રગ લેનારા 25 બોલિવૂડ સ્ટાર્સના નામ જાહેર કર્યા છે. જોકે હજી સુધી બધાં નામો જાહેર થયા નથી, પરંતુ આ સમાચારથી બોલિવૂડમાં હંગામો મચી ગયો છે આ દરમિયાન એવા સમાચાર મળી રહ્યા છે કે શનિવારે સવારે સલમાન ખાનના પરિવારના કેટલાક લોકો મુંબઈથી અન્ય કોઈ સ્થળે રવાના થયા છે.

વાસ્તવમાં, સલમાનની બહેન અર્પિતા ખાનના કેટલાક ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં તે મુંબઇ એરપોર્ટ પર તેના બાળકો સાથે જોવા મળી રહી છે. અર્પિતા ખાન ઉપરાંત સોહેલ ખાન અને તેની માતા સલમા પણ એરપોર્ટની અંદર જતા જોવા મળે છે.

આ રીતે, એરપોર્ટ પર સલમાન ખાનના પરિવારને જોઈને ચાહકોના મનમાં વિવિધ પ્રશ્નો ઉભા થયા છે. વાસ્તવમાં, રિયા ચક્રવર્તીના સલમાન ખાનના પરિવાર સાથે પણ સારા સંબંધો છે. આવી સ્થિતિમાં લોકો સોશ્યલ મીડિયા પર ટિપ્પણી કરી રહ્યા છે અને પૂછે છે કે તેઓ ક્યાં ગયા?

આ સાથે રિયા ચક્રવર્તી અને અર્પિતા ખાનના જૂના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ તસવીરોમાં રિયા ચક્રવર્તી અર્પિતા ખાન સાથે પોઝ આપતી જોવા મળી રહી છે.

રિયા ચક્રવર્તી અને અર્પિતા ખાનના આ ફોટો જોઇને સુશાંત સિંહ રાજપૂતના ચાહકો ગુસ્સે થઈ ગયા છે. ચાહકો સોશિયલ મીડિયા પર સલમાન ખાનના પરિવાર પર વિવિધ આરોપો લગાવી રહ્યા છે.

તો કેટલાક લોકો સવાલ પૂછે છે કે અચાનક એવું શું બન્યું છે કે સલમાન ખાનના પરિવારના લોકોને મુંબઈ છોડવું પડ્યું છે. કોરોના રોગચાળા દરમિયાન આ રીતે બહાર જવું વિચિત્ર લાગી રહ્યુ છે.

આ સાથે જ કેટલાક ચાહકો માને છે કે સલમાન ખાનનો પરિવાર પણ હવે NCBથી ડરી ગયો છે. એક વ્યક્તિએ ટિપ્પણી કરી અને લખ્યું, “ભાગી રહ્યા છે બધા ફેમિલીને લઈને, લાગે છે તેઓ સમજી ગયા છે કે તે અને તેના ભાઈની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે.”

તો, એક અન્ય વ્યક્તિએ કહ્યું, ક્યાં બાગી રહ્યા છે આ લોકો દુબઈ? બીજા યુઝર્સે ટિપ્પણી કરી અને લખ્યું, “જાઈએ આપ કહા જાયેંગે, યે નઝર લોટ કે ફિર આયેગી.”

જણાવી દઈએ કે રિયા ચક્રવર્તીએ ડ્રગ્સના કેસમાં મોટો ખુલાસો કરતી વખતે સૈફની પુત્રી સારા અલી ખાન, રકુલપ્રીત સિંહ, સિમોન ખંભાતા અને મુકેશ છાબરા જેવા સેલેબ્સના નામ જણાવ્યા છે. સમાચાર છે કે હવે NCB આ મામલામાં કરણ જોહરની પણ પૂછપરછ કરવાની છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page