Only Gujarat

Bollywood FEATURED

સુહાગરાતના દિવસે જ અક્ષય કુમારને પત્ની ટ્વિંકલ ખન્નાની આ વાત પડી ગઈ હતી ખબર..!

મુંબઈઃ કોરોનાને કારણે હાલ દુનિયા તથા ભારત દેશના લોકોના મનમાં ડર છે. રોજે રોજ હજારો-લાખોમાં કેસ આવી રહ્યાં છે. જોકે, સરકાર પણ કોરોના વિરુદ્ધ પોતાની રીતે લડાઈ લડી રહી છે. સામાન્ય લોકોની જેમ બોલિવૂડ સ્ટાર્સ પણ કામ પર પરત ફર્યાં છે. સેલેબ્સ સાથે જોડાયેલા કિસ્સાઓ અવારનવાર સોશિયલ મીડિયામાં વાઈરલ થાય છે. હાલમાં અક્ષય કુમારનો એક કિસ્સો વાઈરલ થયો છે. અક્કીએ આ કિસ્સો ‘ધ કપિલ શર્મા શો’માં કહ્યો હતો.

શોમાં અર્ચના પૂરણ સિંહે પૂછ્યું હતું કે શું તે કિંગ સાઈઝ લાઈફ જીવે છે? જેના જવાબમાં એક્ટરે ના પાડી હતી. પછી અર્ચનાએ સવાલ કર્યો હતો કે ઝઘડો થાય તો તેની અને ટ્વિંકલમાંથી કોણ જીતે છે તો અક્ષયે કહ્યું હતું કે હંમેશાં પત્ની જ જીવે છે.

અક્ષયે એમ પણ કહ્યું હતું કે સુહાગરાતે જ તેને ખ્યાલ આવી ગયો હતો કે તે ક્યારેય પત્ની સાથેની લડાઈમાં જીતી શકે તેમ નથી. અનેક સુપરહિટ ફિલ્મમાં કામ કરનાર અક્ષયની લવ સ્ટોરી પણ ઘણી જ રસપ્રદ છે. કહેવાય છે કે ટ્વિંકલ ખન્નાની ફિલ્મ ‘મેલા’ જ્યારે રિલીઝ થવાની હતી ત્યારે અક્ષયે પ્રપોઝ કર્યું હતું. તે સમયે ટ્વિંકલે જવાબ આપ્યો હતો કે આ ફિલ્મ ફ્લોપ જશે તો તે તરત જ લગ્ન કરી લશે. ફિલ્મ ફ્લોપ ગઈ અને ટ્વિંકલે લગ્ન કરી લીધા હતા.

અક્ષયે કહ્યું હતું કે ટ્વિંકલ સાથે પહેલી મુલાકાત ફોટોશૂટ દરમિયાન થઈ હતી. અક્ષયે કહ્યું હતું કે તેને પહેલી જ નજરમાં પ્રેમ થઈ ગયો હતો. ‘ઈન્ટરનેશનલ ખિલાડી’ના શૂટિંગ દરમિયાન બંનેનો પ્રેમ પૂરબહારમાં ખિલ્યો હતો. તો ટ્વિંકલે કહ્યું હતું કે જ્યારે તેણે અક્ષયને ડેટ કરવાનું શરૂ કર્યું ત્યારે તે લાંબા રિલેશનશિપમાંથી બહાર આવી હતી. તે અક્ષય સાથે માત્ર એન્જોય કરવા માગતી હતી.

ટ્વિંકલે માત્ર 15 દિવસ માટે જ અક્ષયને બોયફ્રેન્ડ બનાવ્યો હતો. બંને થોડો સમય સાથે રહ્યાં હતાં અને પછી લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. ડિમ્પલે ટ્વિંકલની સામે શરત મૂકી હતી કે લગ્ન પહેલાં તેણે અક્ષય સાથે એક વર્ષ સુધી લિવ ઈનમાં રહેવું પડશે. ટ્વિંકલે માતાની શરત માની હતી અને એક વર્ષ બાદ જાન્યુઆરી, 2001માં લગ્ન કર્યાં હતાં.

ટ્વિંકલે 2002માં આરવને જન્મ આપ્યો હતો. દીકરીનો જન્મ 2012માં થયો હતો. દીકરી નિતારાના જન્મ પહેલાં ટ્વિંકલે શરત મૂકી હતી કે અક્ષય વ્યવસ્થિત ફિલ્મમાં કામ કરશે તો જ તે પ્રેગ્નન્ટ થશે. અક્ષયે પત્નીની વાત સાંભળીને ગંભીરતાથી ફિલ્મની પસંદગી કરવાની શરૂઆત કરી હતી. અક્ષય રોજ રાત્રે 10 વાગે સૂઈ જાય છે અને સવારે ચાર વાગે ઊઠે છે અને તે બે કલાક સુધી વર્કઆઉટ કરે છે. ટ્વિંકલે કહ્યું હતું કે તે અને અક્ષય રોજ રાત્રે રમી રમે છે.

You cannot copy content of this page