દિલ્લી પાસે આવેલા ફરીદાબાદથી સગીર બાળકોના માતા પિતાને હચમચાવી દે ખબર સામે આવી છે, જ્યાં એક 12 વર્ષની સગીર બાળકીએ પ્રેમમાં દગો મળ્યો બાદ મોતને ગળે લગાવી લીધું. તેનો ખુલાસો ત્યાંથી મળેલી સુસાઈડ નોટથી થયો છે. હાલ પોલીસે મામલો દાખલ કરી તપાસ શરૂ કરી છે.આ બાળકી ફરીદાબાદના બલ્લભગઢ વિસ્તારમાં પોતાના માતા-પિતા સાથે રહેતી હતી. જેને પોતાની પાડોશમાં રહેતા એક સગીર છોકરા સાથે પ્રેમ થઈ ગયો.
બાળકીએ સુસાઈડ નોટમાં ખુલાસો કરતા લખ્યું કે, તે પાડોશમાં રહેતા તેની જ ઉંમરના એક છોકરાને પ્રેમ કરતી હતી, પરંતુ તે બીજા કોઈને પ્રેમ કરતો હતો.
જેનાથી નારાજ થઈને તેણે આત્મહત્યા કરી. બાળકીના પિતાના કહેવા પ્રમાણે આ મામલાની જાણકારી બાળકી પાસેથી મળેલી સુસાઈડ નોટથી મળી. બાળકીના પિતાએ કહ્યું કે, મારી દીકરીએ સુસાઈડ નોટમાં ઈશ્વરને જવાબદાર ગણાવ્યા છે.
તો આ મામલામાં પોલીસ પ્રવક્તા એસીપી આદર્શદીપનું માનીએ તો 12 વર્ષની છોકરીએ પ્રેમમાં નિષ્ફળતા મળતા આત્મહત્યા કરી છે. જેનો ખુલાસો તેની પાસેથી મળેલી સુસાઈડ નોટથી થયો છે. આ મામલે તેમણે તપાસ શરૂ કરી છે.