Only Gujarat

Bollywood

સાત-સાત વર્ષ સુશાંત સાથે રહેનાર પૂર્વ પ્રેમિકાએ રિયા ચક્રવર્તીને લઈ કર્યો ધડાકો અને કહ્યું…

મુંબઈઃ સુશાંત સિંહ રાજપુતના નિધનના એક મહિના પછી તેમની એક્સ-ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે. અંકિતા લોખંડેએ એક ટીવી ચૅનલને ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘‘વર્ષ 2016માં બ્રેકઅપ થયા પછી તે સુશાંતના ટચમાં નહોતી પણ, તેની બહેન અને પિતા સાથે સંપર્કમાં હતી.’’

અંકિતાએ કહ્યું કે, તેમની પાસે સુશાંતનો ફોન નંબર પણ નહોતો અને તે છેલ્લાં ચાર વર્ષથી તેમના સંપર્કમાં પણ નહોતી. અંકિતાએ વધુમાં કહ્યું કે, ‘‘અમે જાણતાં હતાં કે હવે પહેલાં જેમ વાત કરી શકીશું નહીં. જે થવાનું હતું તે થઈ ગયું. તે તેની લાઇફમાં ખુશ હતો અને હું મારી લાઇફમાં ખુશ હતી.

પરિવારથી દૂર થઈ ગયો હતો સુશાંતઃ અંકિતાએ ઇન્ટરવ્યૂમાં સુશાંત અને તેમના પરિવાર વચ્ચે આવેલી દૂરી પર પણ વાત કરી હતી. અંકિતાએ કહ્યું કે, ‘‘સુશાંતની મોટી બહેન રાની નવેમ્બર 2019માં સુશાંતને મળવા માટે તેમના ઘરે ગઈ હતી. તે ઘરની બહાર રાહ જોતી હતી, સુશાંત તેમને મળવા માટે તૈયાર હતો પણ, અચાનક જ કંઇક થયું અને તેમને મળવા માટે ના પાડી દીધી હતી.’’

‘‘રાની દીદીએ મને કહ્યું કે, એવું લાગે છે કે, સુશાંત પર કોઇ પ્રેશર છે. સુશાંત આ પહેલાં રાની દીદી વિરુદ્ધ ક્યારેય જતો નહોતો. માના દેહાંત પછી સુશાંત તેમના બહેનની કોઈ વાત ટાળતો નહોતો. આ વાત સાંભળી મને શૉક લાગ્યો કેમ કે, અમે જ્યાં સુધી સાથે હતાં ત્યાં સુધી આવું થયું નહોતું, કે મેં સુશાંતને તેમની બહેન રાની વિરુદ્ધ જતો જોયો હોય.’’

રિયા લાઇફમાં આવી પછી સુશાંત બદલાયોઃ‘‘સુશાંતના વ્યવહારથી દુઃખી રાની દીદીએ મને કહ્યું કે, હું મારા ભાઈને ગુમાવી ચૂકી છું. ત્યારે મેં તેમને કહ્યું કે, ભગવાન પર વિશ્વાસ રાખો, બધું સરખું થઈ જશે. રાની દીદી તે વાતને લીધે ચિંતા હતી કે, કોઈ છે જે સુશાંતને પ્રભાવિત કરી રહ્યું છે, કેમ કે સુશાંત એવો માણસ નહોતો કે જે કોઈના દબાવમાં આવે કે કોઈનું સાંભળે.’’ અંકિતાએ કહ્યું કે, ‘‘રિયા એક વર્ષ પહેલાં જ્યારે સુશાંતની લાઇફમાં આવી ત્યારે તે જ સમય હતો કે, સુશાંત તેમના પરિવારથી દૂર થયો હતો.’’

લિવ ઇનમાં હતાં રિયા-સુશાંતઃ સુશાંત લગભગ એક વર્ષથી રિયા સાથે લિવ ઇનમાં રહેતો હતો. 8 જૂને સુશાંત સાથે ઝઘડો થયાં પછી રિયાએ તેમનું ઘર છોડીને જતી રહી હતી. સુશાંતની બહેન નીતૂએ આ વાત બિહાર પોલીસને તેમના નિવેદનમાં કહી હતી. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે, ‘‘ઘરેથી જતી વખતે રિયાએ સુશાંતને એમ પણ કહ્યું હતું કે, તે હવે ક્યારેય નહીં આવે. આ પછી 14 જુને સુશાંતે આત્મહત્યા કરી લીધી હતી.’’

You cannot copy content of this page